SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સરસ...ચાલો...આપણે ઘેર જઈએ...' ચંપકલાલ ઊભા થયા. મફતલાલ પણ ઊભા થયા. બન્ને મિત્રો ઘેર આવ્યા ઘરમાં આવતાંવેંત સુનયનાબેને સ્વાગત કર્યું. ચંપકલાલે સુનયનાને બધી વાત કરી. સુનયના તે સાંભળીને રાજી થઈ ગઈ. તે અને એ જ દિવસે સાંજે સલીલ અમરાવતી આવી પહોંચ્યો. સલીલ અને દિવ્યાની મીટીંગ ગોઠવાઈ. અને સંબંધ નક્કી થયો. બીજે દિવસે ગોળ-ધાણા તથા શ્રીફળ વિધિ કરવામાં આવી. આઠ દિવસ બાદ ચંપકલાલ, સુનયના અને દિવ્યા શંખેશ્વર - શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ તીર્થમાં બે દિવસ રોકાઈને શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી. તેમનો સંકલ્પ, તેમની આશા પરિપૂર્ણ થઈ હતી. અને શુભ દિવસે અમરાવતીમાં સલીલ અને દિવ્યાના વિવાહ થયા. બન્ને પરિવારોમાં આનંદનો સૂર ગુંજવા લાગ્યો. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી માનવીની આશાઓ પરિપૂર્ણ થયા વગર રહેતી નથી. (૧) (૨) (૩) મંત્ર આરાધના ૐૐ હ્રીં શ્રીં આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ । ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રાઁ આશાપૂરણ પાર્શ્વનાથ નમઃ। ઉપારોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે અને અલૌકિક છે. આરાધકે કોઈપણ એક મંત્રનો નિત્ય વહેલી સવારે નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાન અને આસન સાથે જાપ કરવા, જાપ દરમ્યાન ધૂપ અને દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર જાપની એક માળા અવશ્ય રોજ ગણવી. શુભ દિવસથી મંત્રજાપનો પ્રારંભ કરવો. આ મંત્ર જાપથી મનોકામના પૂર્ણ થાય છે. - સંપર્ક શ્રી આશાપુરાણ પાર્શ્વનાથ શ્વે. જૈન. તીર્થ મુ. નુન, વાયા-બાલન્ટ્રી જિ. સિરોહી, (રાજસ્થાન) ૧૬૨ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ C
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy