SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ શ્રી કમળશીભાઈ ગુલાબચંદે સ્વદ્રવ્યથી કરાવેલ હતો. સંવત ૧૯૬૧ જેઠ સુદ-૧૩ના રોજ ભમતીમાં ત્રેવીસમી પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ ભમતીમાં સુંદ૨ ગભારો બનાવી સંવત ૧૯૯૦ માં શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભમતીમાં ત્રીજી લાઈન સામે ત્રણ ભગવાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૩૨માં કરવામાં આવી હતી. મહિમા અપરંપાર નાગપુરના રવિચંદભાઈ દેસાઈ વર્ષમાં એકવાર દેશમાં પોતાના પરિવાર સાથે આવતાં ત્યારે શંખેસ્વર અચૂક આવતાં હતા. તેમને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની સાંઈઠમી દેરીમાં બિરાજમાન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી. જીવનમાં કોઈપણ પ્રશ્નો ઊભા થાય ત્યારે તેઓ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં અને ગમે તેવા વિકટ પ્રશ્નો આવ્યા હોય તો તેમાંથી તેમને માર્ગ મળી જતો હતો. એકવાર નાગપુરમાં તેમના પત્ની કલ્પનાબેન બીમાર પડ્યા અને પથારીવશ થયા ત્યારે રવિચંદભાઈએ પોતાના ફેમીલી ડોક્ટરની દવા શરૂ કરાવી પરંતુ પંદર દિવસ દવા લીધા પછી પણ કશો ફરક પડ્યો નહોતો. કલ્પનાબેનને ભારે અશક્તિ લાગતી હતી. કોઈ કામમાં ચિત્ત ચોંટતું નહોતું. ફેમીલી ડોક્ટરે કલ્પનાબેનના બધા રીપોર્ટ કઢાવ્યા પણ રીપોર્ટમાં કશું આવ્યું નહિ. ડોક્ટરને ભારે નવાઈ લાગી કે હવે શું કરવું ? ત્યારે તેમણે રવિચંદાઈને કહ્યું કે કોઈ મોટા ડોક્ટરને બતાવીએ. એમજ થયું. કલ્પનાબેનની તબિયત મોટા ડોક્ટરને બતાવાઈ. ડોક્ટરે બધી રીપોર્ટ જોયા છતાંય ફરીવાર રીપોર્ટ કઢાવવાનું જણાવ્યું. ફરીને રીપોર્ટ કઢાવાયા છતાંય કંઈજ ન આવ્યું. ડોક્ટર કહે કે શરીરમાં કંઈ જ નથી માત્ર માનસિક બીમારી છે. રવિચંદભાઈ પત્નીને લઈને ઘેર આવ્યા અને તેમણે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું અને જાપ કર્યા. તેમજ સંકલ્પ કર્યો કે પત્નીની તબીયત પુનઃ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ૧૪૮
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy