SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્યતીર્થ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક અને ભવ્ય છે. અહીં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. તેમજ પ્રભાવક અને ચમત્કારિક છે. શંખેશ્વરમાં ધર્મશાળાઓ, ભોજનશાળા તથા અનેક જિનાલયો આવેલા છે. દિવસો દિવસ આ તીર્થનો વિકાસ થઈ રહ્યો છે. આ તીર્થ પર આવવા વાહનોની સુવિધા મળતી રહે છે. પ્રાઈવેટ ગાડીઓ તથા બસો ખૂબ જ આવતીજતી રહે છે. શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ બિરાજમાન છે. વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના કલ્યાણકારી દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ,ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિજી મ. ના વરદ હસ્તે જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો અને ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે. અને દર્શન-વંદન તથા સેવા પૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમસર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે. આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતીપર ૮૪000 ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ૧૪૯
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy