SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી દિગ્ગજ પાર્શ્વનાથ' હોવાનું માનવામાં આવે છે. આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો વગેરેએ પોતાની પ્રાચીન રચનાઓમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુને અનેરા ભાવથી નમસ્કાર ગર્યાં છે. યતિની મંત્ર સિધ્ધિ એક યતિએ શ્રી સુરજ મંડન પાર્શ્વનાથ સમક્ષ છે માસની એક મંત્ર સાધનાનો પ્રારંભ કર્યો તે માટે સૂરતના શાંતિદાસ શેઠ નિત્ય પાંચશેર દૂધ તથા એક શેર સાકર મોકલાતા હતા. શેઠ પર પ્રસન્ન થયેલા યતિએ મંત્રસિદ્ધિના દિવસે શેઠને હાજર રહેવા જણાવ્યું. મહત્વના કાર્યમાં પડી જવાથી શેટે પોતાના શાંતિ નામના નોકરને ત્યાં મોકલ્યો. ધ્યાનમાં મગ્ન બનેલા યતિએ તેને શેઠ સમજીને પરમાત્મા સન્મુખ ઊભા રહેવા જણાવ્યું. એક કાળો નાગ તેના પગથી માથી સુધી ચડીને જીભ કાઢે ત્યારે પોતાની જીભનો સ્પર્શ તેની સાથે નિર્ભીક બનીને કરવા તેને સૂચના કરી. શાંતિ નામનો નોકર પમાત્માની સન્મુખ ઊભો રહી ગયો. તેના મસ્તક સુધી સર્પ ચઢ્યો ત્યાં સુધી તે નિર્ભિક રહ્યો પણ તેની સાથે જીભ મિલાવવાની તેની હિંમત ન ચાલી, તે ભયભીત બનતાં સર્પ નીચે ઉતરી ગયો. યતિ ધ્યાનાવસ્થા માંથી જાગૃત થયા અને શાંતિ નામના નોકરને કહ્યું : ‘તું ભયીત ન બન્યો હોત તો અભંગ વંશપરંપરા અને અખૂટ સમૃધ્ધિનો સ્વામી બન્યો હોત, હવે તેની સમૃધ્ધિ સાત પેઢી સુધી અખૂટ રહેશે, ત્યારબાદ તેમાં ઓટ આવશે.’ યતિ મહારાજનો આ સંકેત સાચો ઠર્યો. શાંતિ નામનો નોકર દિલ્હી જઈને ખૂબ કમાયો અને અમદાવાદનો નગરશેઠ બન્યો. ૧૨૫ શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy