________________
કરી અને ખાસતો શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરીને ત્યાં ચૈત્યવંદન કર્યું અને અનેરા ભાવથી ભક્તિ કરી. ચંદ્રિકાબેનની આંખો માંથી સ્તવન ગાતાં ગાતાં આંસુ બહાર આવી ગયા. ત્યાર પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી આવ્યા. આમ બે દિવસ રોકાઈને તેઓ પોતાના સ્થાને પાછા ફર્યા.
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી સંકટો નષ્ટ પામે છે.
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્રુ સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમ:
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન અખંડ ધૂપદીપ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. શ્રધ્ધા અને ભક્તિથી દરરોજ એક માળા તો અવશ્ય કરવી. જાપ કરવાથી દરેક કાર્યોમાં સિધ્ધિ મળે છે. તેમજ સંકટોનો નાશ થાય છે.
તે
રીતે સંપર્ક: શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર સુભાષચોક, ગોપીપુરા,
સુરત. ફોનઃ (૦૨૬૧) ૨૫૯૫૨૭૯
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
( ૧૨૩