SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં મળતાં પત્થરોમાં પ્રથમ કક્ષાના, કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયન રમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું ને વિશાળ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં છપ્પનમી દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની તેજસ્વી, મનોહારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્મસનસ્થ છે અને આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર એકવાર પ્રફુલભાઈ તેમની પત્ની ચંદ્રિકા અને આઠ વર્ષનો પુત્ર દેવેશ સાથે જન્માષ્ટમીના દિવસોમાં યોજાતા આનંદ મેળામાં ગયા. મેળામાં આવ્યા તે પહેલાં પ્રફુલભાઈએ પત્નીને કહ્યું હતું કે દેવેશનો હાથ બરાબર પકડી રાખજે, કારણકે મેળામાં સખત ભીડ હશે. જો હાથ મુકાઈ ગયો તો મળવો મુશ્કેલ બનશે. ચંદ્રિકાએ કહ્યું : ‘હું બરાબર ધ્યાન રાખીશ.' ત્રણેય મેળામાં આવ્યા. મેળામાં હજારો લોકો ઘૂમતા હતા. સખત ભીડ હતી. આનંદ મામાં રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, ચકરડી, ફજતફાળકો વગેરે હતું. દેવેશે કહ્યું : ‘મમ્મી, મારે ચકરડીમાં બેસવું છે...’ 1: ‘બેટા, ત્યાં જો...કેટલી બધી મોટી લાઈન છે ! આપણો વારો પણ આવે તેમ નથી...આપણે કાલે આવશું એટલે તને જરૂર બેસાડીશ...’ મેળામાં ચાલવાની પણ મુશ્કેલી અનુભવાતી હતી ત્યાં સામેથી કેટલાક ટિખળી છોકરાઓની ટોળી ઝડપથી દોડતી આવી અને ચંદ્રિકાની પાસેથી પસાર થઈ..તેમાં દેવેશનો હાથ છૂટી ગયો... માત્ર બે મિનિટમાં દેવેશ દેખાતો બધ થઈ ગયો. ચંદ્રિકાએ તરત જ પ્રફુલને કહ્યું : ‘સામેથી તોફાની છોકરાઓની ટોળી આવી એમાં દેવેશનો હાથ છૂટી ગયો છે... હવે જલ્દી એને શોધો...’ શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ ૧૨૧
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy