SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં ધર્મોલ્લાસ છવાઈ જાય છે. સંપર્ક : શ્રી શેરીસા પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, મુ.પો. શેરીસા, તા.કલોલ. (ગુજરાત). શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ પરમ તારક તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા યુગો-યુગોથી ગવાતો રહ્યો છે. શંખેસ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગો જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક અને પ્રભાવક છે. આ પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી જીવનની તમામ ઉપાધિઓ નષ્ટ થાય છે. આવા પરમ તારક શ્રી શંખેશ્વર તીર્થની પવિત્ર ધરતી પર બીજું મહાપ્રભાવક તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ, આ સંકુલમાં ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધના ભવન, જ્ઞાન મંદિર સહિતની અન્ય ઈમારતો છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પ.પૂ. શ્રીમદ્દ પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભગવંત પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. પૂ. ગુરૂ ભગવંતોના વરદ હસ્તે સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. એ સમયે હજારો શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બન્યો હતો. | ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસ ફૂટ) ધરાવતું આ મહાજિનપ્રસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી અહીં આવતાં યાત્રિકો એકી સાથે ૧૦૮ શ્રી પાર્શ્વ તીર્થના દર્શનનો તથા શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy