SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ થયા છે. શ્રી પાર્શ્વ પ્રભુનો મહિમા અનેરો છે. મહિમા અપરંપાર વાંકાનેરમાં હરખચંદભાઈ કોઠારીનો પરિવાર ધર્મ આરાધનામાં આસ્થા ધરાવનારો હતો. તેઓ ઘણીવાર શંખેશ્વર જતા હતા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં ઉતરતા અને સેવા પૂજા કરતાં તેઓને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ હતો. એકવા૨ હરખચંદભાઈનો પુત્ર દિનેશ તેના મિત્ર સાથે મોટર બાઈક લઈને મોરબી ગયો. વાંકાનેરથી મોરબીનો રસ્તો લાંબો નહોતો બાઈક પર માત્ર પોણો કલાકમાં પહોંચી જવાય. હરખચંદભાઈની પત્ની વીણાબેને દિનેશને કહ્યું હતું પણ ખરૂં કે તું બાઈક લઈને જવાનું રહેવા દે... હાઈવે પર જવું જોખમકારક છે...પણ આજના જુવાનિયા માને ખરા..? દિનેશ અને તેનો મિત્ર પરેશ બાઈક લઈને મોરબી પહોંચી તો ગયા અને જે કામ માટે ગયા હતા તે કામ પણ પતાવ્યું. બન્ને મિત્રો સાંજે પાંચ વાગે મોરબીથી નીકળી ગયા. અધવચ્ચે આવ્યા હશે ત્યાં એક પુરપાટ ઝડપે આવતાં ટ્રક સાથે તેઓનું બાઈક પટકાયું. બન્ને મિત્રો ઊડીને એક તરફ પડ્યા. બન્નેને ગંભીર ઈજા થઈ. ટ્રકચાલક ટ્રક મૂકીને ભાગી ગયો. સદ્નસીબે એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી. એમ્બ્યુલન્સ ત્યાં ઊભી રહી અને ગંભીર રીતે ઘવાયેલા અને બેભાન બનેલા બન્ને મિત્રોને એમ્બ્યુલન્સમાં ઊંચકીને સુવડાવી દીધા એમ્બ્યુલન્સ સીધી વાંકાનેરની હોસ્પીટલમાં આવી. પોલીસ સ્ટેશનમાં સમાચાર આપી દેવામાં આવ્યા હતા. હોસ્પીટલમાં તત્કાળ ઉપચાર કરવામાં આવ્યા. તેમાં દિનેશ ભાનમાં આવી ગયો અને પોલીસને તેના ઘરનો ટેલીફોન નંબર આપ્યો. પોલીસે દિનેશના ઘેર શ્રી ચમારી પાર્શ્વનાથ ८७
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy