SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે જ દિવસે જતીન તેના મમ્મી - પપ્પા સાથે શંખેશ્વર ગયો ત્યાં શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી સેવા-પૂજા અને ભક્તિ કરી અને માર્ગમાંથી બહાર કાઢવા વિનંતી કરીને સૌ પાછા ફર્યા. આઠ દિવસ બાદ તે માણસ રોકડા રૂપિયા લઈને જતીનની દુકાને આવ્યો અને મોડું થવા બદલ માફી માંગી અને રકમ આપી દીધી. ત્યાર પછી જતીનને શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા બેસી ગઈ. કંઈ પણ ગુંચવણ ભર્યા પ્રશ્નો ઊભા થાય ત્યારે જતીન સીધો શંખેશ્વર જઈ આવતો અને તેના પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું. શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ જ દિવ્યતાને આપે છે. ગમે તેવા સંકટો તેમનું સ્મરણ કરતાં નાસી જાય છે. (૧) (૨) (૩) મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કરેડા પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પરબેસીને જાપ કરવા. રોજ એક માળા અવશ્ય કરવી. મંત્રજાપ કરતી વખતે અખંડ ધૂપ-દીપ રાખવા. આ મંત્ર જાપથી સંકટો ટળે છે. મુશ્કેલીભર્યા પ્રશ્નોનું નિરાકરણ આવે છે. સંપર્કઃ શ્રી રેડાજી પાર્શ્વનાથ શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ મુ.પો. ભૂપાલસાગર, તા. કપાસણા, જિ. ચિતોડગઢ, (રાજસ્થાન) - ૩૧૨૨૦૪. ફોન : (૦૧૪૭૬) ૨૨૪૨૩૩ ૭૬ શ્રી રેડાજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy