SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ થયું છે. વર્તમાનમાં શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુ તરીકે જાણવામાં આવે શ્રી ગાડિલયા પાર્શ્વનાથ કેમ કહેવાય છે તેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. આ પ્રતિમાજી દિવ્ય અને અલૌકિક છે. તેનો મહિમા અપરંપાર છે. એમ કહેવાય છે કે આ પ્રતિમાજીનું પબાસણ ગાલ્લીના (એક જાતનું ગાડું) આકારમાં છે. તેથી ગાલિયા પાર્શ્વનાથ' નામ પડ્યું હોવું જોઈએ. હાલનું જિનાલય સંવત ૧૮૭૫ની આસપાસ બંધાયેલું છે. દર વર્ષે મહા સુદ-પના પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સંઘ દ્વારા ભવ્ય રીતે ઉજવાય છે. | મહામંત્રી વસ્તુપાળ - તેજપાળની માંડલ જન્મભૂમિ છે. આથી આ ગામ પ્રાચીન અને ઐતિહાસિક છે. અનેક કવિઓ, આચાર્યો તથા મુનિવરોએ પ્રાચીન રચનાઓમાં આ તીર્થના યશોગાન ગાયા છે. સંપર્ક : શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુ.માંડલ તા. વીરમગામ, જી. અમદાવાદ. (ગુજરાત) પીન: ૩૮૨૧૩). શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પરમ પુણ્યવંતી ભૂમિ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલય કલા કારીગીરીથી સમૃધ્ધ છે. શાંત અને પવિત્ર વાતાવરણમાં આરાધના કરવા માટેનું સર્વશ્રેષ્ઠ તીર્થધામ છે. જિનાલયની બહાર આ સંકુલમાં ઉતારા માટેની ધર્મશાળા, ભોજનશાળા તથા સાધુ-સાધ્વીજી ભગવંતો માટેના ઉપાશ્રયો આવેલા છે. આ સંકુલમાં વૃક્ષો-લત્તાઓ તથા બગીચા હોવાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વહેલી સવારે આ સંકુલનું વાતાવરણ દિવ્યતાથી ઓપતું જણાય છે. પક્ષીઓનો મધુર કલરવ હૈયાને પ્રસન્ન કરી મૂકે તેવો છે. શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૩
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy