________________
મથુરામાં જ કર્યું હતું.
દંડ મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મથુરામાં થઈ હતી. એ સિવાય અનેક સંભારણાઓ મથુરા નગરી સાચવીને બેઠી છે. અઢાર નાતરાનું ઘટનાસ્થળ મથુરા જ છે.
ભગવાન મહાવીર સ્વામીના ઉપસર્ગ પ્રસંગે કંબલ તથા સંબલ દેવતા દ્વારા થયેલી દૈવી સહાયની ઘટના અહીંજ બનવા પામી હતી. સાધ્વી પુષ્પચૂલાને મથુરામાં કેવળજ્ઞાન થયેલું.
શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં ઉગ્રસેન રાજાની રાજધાની મથુરા હતી. તેમજ સતિ શિરોમણી રાજીમતીનું આ જન્મસ્થાન રહેલ છે. શ્રી પાર્શ્વ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણ સ્પર્શથી આ ભૂમિ અત્યંત પવિત્ર બની છે.
અંતિમ કેવળજ્ઞાની શ્રી જંબુસ્વામીનું નિર્વાણ મથુરામાં થયું હતું. આ ભૂમિ પર મહા પ્રભાવક આચાર્યના આવાગમન થયાં છે. શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ સાધુ-સાધ્વીજીઓના સ્તૂપોની રચના પણ આ પવિત્ર સ્થાનમાં થઈ છે. શ્રી હીર વિજયસૂરિ અહીં સંઘ લઈને આવેલા હતા.
મથુરાના ‘કંકાલી ટીલા’ માંથી મળેલા પ્રાચીન અવશેષો સાક્ષી પૂરે છે કે મથુરાએ જૈનોનું પ્રાચીન તીર્થધામ રહ્યું હતું.
ચૌદમા સૈકામાં અહીં મહાલક્ષ્મી સ્તૂપ, શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અને શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય હતાં.
કુબેરસેના નામની ગણિકાએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાનું માનવામાં આવે છે. ગણિકા કુબેરસેનાના જીવનમાં કોઈ અણધાર્યુ પરિવર્તન આવ્યું હશે અથવા તો કોઈ મુનિના પદેશથી તેના જીવનમાં બદલાવ આવ્યો હોય તેથી તેણીએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કર્યાનું મનાય છે. આમ રાજાએ શ્રી બપ્પભટ્ટસૂરિજી મ. ના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. મહંમદ ઘોરીએ આ જિનાલય પર આક્રમણ કરીને જિનાલય જમીનદોસ્ત બનાવેલ, પરંતુ શ્રી સંઘે પ્રતિમાજીને ભંડારી દીધી હતી.
આ પછી દીર્ઘ કાળ પસાર થઈ ગયો.
શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ
૨૦૫