SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નગર બહાર આવેલો છે. તે મોટો તપસ્વી છે. અને ચમત્કારી પણ છે. તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે.’ સેવકે જોગીની ઓળખાણ આપી. ‘એ જોગી ચમત્કારી છે એમ તે શી રીતે જાણ્યું ?' પાર્શ્વકુમારે ફરીને પ્રશ્ન કર્યો. ‘કૃપાળુ, મેં પોતે તો કોઈ ચમત્કાર જોયો નથી પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કાર કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારના સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઈચ્છા પણ પરિપૂર્ણ કરી છે. સંતાનવિહીનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા છે. ‘ત્યારે તો ‘કલ્પવૃક્ષ’ પોતેજ સામે ચાલીને અહીં આવ્યું છે એમ જ ને...!' પાર્શ્વકુમારે જરા સ્મિત ફરકાવીને કહ્યું. ‘હા...મહારાજ, લોકો તો એવીજ ભ્રમણામાં છે.’ ‘ત્યારે તો આપણે તે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.' આમ કહીને પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા. ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો. પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંદરના ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો તેથી કરૂણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા : ‘ઓહ...’ આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી, તે તપ જ નથી. દયા વિનાનો ધર્મ પણ કેવો...! ત્યારે કમઠે કહ્યું : ‘રાજ પુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...’ કમઠની વાણીમાં ગર્વનો નશો હતો. કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પાર્શ્વકુમારે પોતાના સેવકોને આજ્ઞા કરી : ‘આ કુંડ માંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય. ' શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ ૧૨૬
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy