SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પેલો માણસ કાંતિલાલના ઉત્તરની રાહ જોયા વિના ચાલ્યો ગયો. કાંતિલાલે બે-ત્રણ વાર બોલાવવા બૂમો પણ પાડી પણ તે માણસ એટલો ઝડપથી ચાલતો હતો કે થોડીવારમાં તો ક્યાં ગયો તેની કાંતિલાલને ખબર જ ન રહી. કાંતિલાલ ઘેર આવ્યા. પેલા માણસના શબ્દો મગજમાં ઘર કરી ગયા. તેમને થયું કે તે માણસને મારા નામની ક્યાંથી ખબર પડી ? મને આઠ દિવસ ઘેર રહેવાનું શા માટે કહ્યું ? તેની કોઈ વાત સમજાતી નથી... શું કંઈ અજુગતુ બનશે ? ના.... ના... એવું કશું નહિ થાય... તો....! કાંતિલાલે ઘેર આવીને તેની પત્ની કિરણબેનને વાત કરી. કિરણબેન પણ આ વાત સાંભળીને ગભરાઈ ગયા. તેઓ પણ ધર્મ શ્રધ્ધાળુ હતા. 1:0 કિરણબેન બોલ્યા : ‘જુઓ, આઠ દિવસ ઘરની બહાર જશો જ નહિ. મને તો તમારી વાત સાંભળીને ભય લાગે છે.’ ‘અરે.. ! એવું કંઈ માનવાનું ન હોય...!' કાંતિલાલ બોલ્યા. કિરણબેને કહ્યું : ‘જુઓ, તમે મારી વાત માનો, તે માણસે કંઈક વિચારીને જ કહ્યું હશે. આઠ દિવસ ઘરની બહાર ન નીકળો તો શું તકલીફ પડવાની છે ? આઠ દિવસ દુકાન બંધ રહેશે એટલું જ ને...! ભલે દુકાન બંધ રહેતી...! ‘જુઓ, દુકાન બંધ રહે તો ઘણું નુકસાન થાય તેમ છે. મેં તને વળી ક્યાં આ વાત કરી...! તે તો વાતનું વતેસર કરી નાખ્યું...! કાંતિલાલ બોલ્યા. ‘ના...હવે મારો જીવ ન રહે...’ કિરણબેન બોલ્યા. ત્યાં ઘરમાં ફોનની ઘંટડી રણકી. કાંતિલાલે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો : કોણ..? કાંતિલાલ શેઠ ? ‘હા...બોલો...’ ‘હું નરેન્દ્રભાઈ બોલું છું. આજે બપોરે દુકાને આવું છું. ખૂબજ અગત્યનું કામ છે... બપોરે વાત કરીશ.’ કાંતિલાલ કંઈ જવાબ આપે તે પહેલાં ફોન મૂકી દીધો. કિરણબેને પૂછ્યું : ‘કોનો ફોન હતો ? ૧૦૨ શ્રી મરોલજી પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy