SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ધંધુકા ફા. વદ-૧૧ ૩૧-૩-૨૦00, શુક્રવાર * જ્ઞાન પ્રયત્નથી મળી શકે, પણ વિનયાદિ ગુણો એમ માત્ર પ્રયત્નથી ન મળી શકે. એમાં ભગવદનુગ્રહ જોઇએ. * ભગવાન મહાવીર પછી આર્ય મહાગિરિએ આર્ય સુહસ્તિ સાથે સૌ પ્રથમ ગોચરી - વ્યવહાર બંધ કરેલો. આર્ય સુહસ્તિને પ્રભાવના પસંદ હતી, આર્ય મહાગિરિને સંયમ. * વિનયાદિ ગુણો ઓછા હોય તે બની શકે, પણ “તે ગુણો મારામાં ઓછા છે. પ્રભુ- કૃપાથી તે મારે પામવા જ છે.” એવો ભાવ પણ પેદા ન થાય, એ કેમ ચાલે ? તમને તમારો અવિનય ખટકે, પોતાના દ્વારા ગુરુને થતી હેરાનગતિ ખટકે તો પણ મારી મહેનત સફળ છે. * વધુ કદાચ ન ભણી શકો, પણ રોજ માત્ર ૨૦ માળા ગણો ને કાયોત્સર્ગમાં ધ્યાન પરોવો તો પણ તમે આરાધક બની શકો. તમે ખૂબ જ ભણેલા હો પણ વિનય ન હોય તો તેનો કોઈ જ મતલબ નથી. આંધળા પાસે અબજે દીવા પણ હોય...પણ શો લાભ ? એક આંધળો, દીવો લઈને નીકળ્યો. દેખતાએ કારણ પૂછ્યું ત્યારે કહ્યું : ““તમારા જેવા દેખતા મારા પર અથડાઈ ન પડે માટે કહ્યું કલાપૂર્ણસૂરિએ છ ૦૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy