________________
છે D) ODDDDD) ( ભા.
પુનઃ પ્રકાશન પ્રસંગે...
સુવિધાંજન-સ્પર્શથી આખ જ્યાર; અવિદ્યાનું અંધારુ ભારી વિદાર, જુએ તે ક્ષણે યોગીઓ ધ્યાન - તે નિશાત્મા વિષે શ્રીપરાત્મા સહેજ
- જ્ઞાનસાર ૧૪૮
૬ - પદ્યાનુવાદ
જ્ઞાનસારમાં આ રીતે આવતા વર્ણન મુજબ જ પૂજયશ્રીનું જીવન હતું, એ સૌ કોઇ સુપેરે જાણે છે. એ મહાયોગી પોતાના હૃદયમાં ભગવાનને જોતા હતા, જ્યારે લોકો તેમનામાં ભગવાનને જોતા હતા.
[ આવા સિદ્ધયોગીની વાણી સાંભળવા - વાંચવા લોકો આતુર હોય તે સ્વાભાવિક છે. - પૂજ્યશ્રીની હાજરીમાં જ ‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના ચારેય ભાગો બહાર પડી ગયા હતા, જિજ્ઞાસુ આરાધક લોકો દ્વારા અપ્રતિમ પ્રશંસા પણ પામેલા હતા. છેલ્લા ઘણા સમયથી આરાધકો તરફથી આ પુસ્તકની માંગણી હતી, પણ નકલો ખલાસ થઇ જતાં અમે એ માંગણી સંતોષી શકતા ન હતા. પહેલા ભાગની ત્રણ-ત્રણ આવૃત્તિ બહાર પડવા છતાં લોકોની માંગણી ચાલુ જ હતી. પછીના ત્રણ ભાગો તો બહુ જ દુર્લભ બની ગયા હતા. કારણ કે તેની એક જ આવૃત્તિ બહાર પડેલી હતી.
શંખેશ્વર તીર્થ વિ.સં. ૨૦૬ ૨, મહા વદ ૬, તા. ૧૯૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના ગુરુ-મંદિરની પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને લક્ષમાં લઇને પ્રસ્તુત પુસ્તકના ચારેય ભાગો હિન્દી તથા ગુજરાતીમાં એક સાથે બહાર પાડવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ આનંદપ્રદ ઘટના છે.