SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ મોહરાજ નિદ્રાદેવીને આવા સ્થાનોમાં જ મોકલે. મોહરાજાને ખબર છે : આ સભા એટલે મને ખતમ કરવાની છાવણી ! એ છાવણી પર હુમલો કરવો જ રહ્યો. નિદ્રાદેવીને મોકલીને એ હુમલો કરે છે. મોહરાજાની આ ચાલ સમજી લેજો. આપણે કેટલા વિચિત્ર છીએ ? આગળની જગ્યાએ બેસવા પડાપડી કરીએ છીએ, પણ ત્યાં બેઠા પછી ઊંઘ આવી જાય તેની પરવા કરતા નથી. આગળ બેસીએ છીએ તે સાંભળવા માટે બેસીએ છીએ કે અહંકારને પોષવા બેસીએ છીએ ? હૃદયને પૂછી લેજો. જાણવા બેસીએ છીએ કે જણાવવા ? જણાવવા બેસીએ છીએ કે જીવવા ? હૃદયને પૂછી લેજો. આમ પ્રશ્નોત્તરી કરવાથી જે સાચો જવાબ આવશે તે આપણું શુદ્ધ પ્રણિધાન હશે. * આપણે સાધુ-સાધ્વીજી કેટલી ઊંચી કક્ષાએ છીએ? આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ કષાયો કરતા રહીએ, ઝગડા કરતા રહીએ, એ કેવું ? ઝગડા કરતા હો તો ત્યારે વિચારો : હું મારી જાતને તો દુર્લભબોધિ બનાવું જ છું, પણ બીજાને પણ દુર્લભબોધિ બનાવું છું. કારણ કે આ જોઈને કેટલાય સાધુ-સાધ્વીની નિંદા કરશે : છી.... જૈન સાધુઓ આવા ઝઘડાખોર ? જિનશાસનની અપભ્રાજના જેવું બીજું કોઈ પાપ નથી. તમને પ્રશ્ન થશે : પેલો જેમ તેમ બોલ્યા કરતો હોય તો ક્યાં સુધી સહન કરવું ? પછી તો ગુસ્સો આવે જ ને ? હું કહું છું : સામેવાળાનો ગમે તેવો સ્વભાવ હોય, પણ આપણે શા માટે તેનો સ્વભાવ બનાવવો ? એ સ્વભાવ ન છોડે તો આપણે શા માટે છોડવો ? ચંદનને કાપો, બાળો કે ઘસો એ સ્વભાવ ન છોડે. આપણે આવા બનવાનું છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy