SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા છે. મોહનું રાજ્ય છે તેમ ભગવાનનું પણ રાજ્ય છે. મોહનો કિલ્લો ભગવાન સિવાય બીજા કોઈથી પણ તૂટી શકે તેમ નથી. . માટે જ આપણા સર્વ સૂત્રોમાં વિવિધરૂપે ભગવાન બિરાજમાન છે. લોગસ્સમાં નામરૂપે. અરિહંત ચેઈઆણંમાં સ્થાપનારૂપે. નમુત્થણમાં દ્રવ્ય અને ભાવ અરિહંતોની સ્તુતિ છે. કોઈ એવું સૂત્ર નહિ હોય, જેમાં કોઈ ને કોઈ રૂપે ભગવાન ન હોય. * મોહનું આક્રમણ નિષ્ફળ બનાવવા ભગવાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. મોહનું આક્રમણ આપણા સામર્થ્યથી ખાળી શકાય તેમ નથી. કોઈ સમર્થનું શરણું લેવું જ પડશે. ભગવાન વિના બીજો કોઈ સમર્થ નથી. આ સમર્થના ચરણ જેમણે પકડી લીધા તેમનું કામ થઈ ગયું. પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા; અળગા અંગ ન સાચા રે....” મોહ અને કષાયોના કારણે તમારો આત્મા ત્રિવિધ તાપથી સળગી જ રહ્યો છે. બીજાની તો ઠીક, આપણને આપણા આત્માની પણ દયા નથી આવતી. બીજા બળતા હોય ને દયા આવે, તો જાત પર દયા ન આવે ? મોહથી બળી રહ્યા છીએ. એવું સમજાય, પછી જ સરોવર સમા અરિહંતનું શરણું લેવાનું મન થાય, સાધુનું શરણું લેવાનું મન થાય. અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા' તમારા શરણે કોઈ આવે તો શાંતિ મળે ને ? તમને સ્વયંને આ વિશ્વાસ ખરો ? * મોહરાજાએ ભગવાન અને આપણી વચ્ચે એવો ભેદ પાડ્યો છે કે અભેદભાવે ભક્તિ થઈ શકતી નથી. ભગવાનને કહો : ભગવદ્ આપની સાથે હું અભેદ સાધી શક્તો નથી. જીવો સાથે પણ અભેદ સાધી શકાતો નથી. હા જડ સાથે અભેદ જરૂર સાધ્યો છે. ૩૮૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy