SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ * ક્યારેક અપમાનનો પ્રસંગ આવે, ક્રોધ ભભૂકી ઊઠવાની તૈયારીમાં હોય ત્યારે વિચારજો : જેનું અપમાન થઈ રહ્યું છે, તે હું નથી. હું [આત્મા] છું. અનામી છું. મારા નામને કોઈ ગાળો આપે તો મને શું ? આ નામ તો મારા ફઈબાએ કે ગુરુદેવે સોંપેલું છે. એની સાથે મારે શો સંબંધ ? આવી વિચારણાથી આપણે કેટલા સંકલેશથી બચી જઇએ ? મનમાં ક્રોધ માન સાવ જ ન આવે એવું તો ન બની શકે. મને પણ ક્યારેક આવી જાય, પણ કમ સે કમ એટલું નક્કી કરો : તમારો ક્રોધ કે તમારું અભિમાન વાણી દ્વારા બહાર ન આવે. - મનમાં જ આવશે તો માત્ર તમને જ નુકશાન કરશે, પણ વચનમાં કષાયો આવશે તો બીજાને પણ નુકશાન કરશે. આપણે બળ્યા તો કદાચ ભલે બળ્યા, પણ બીજાને શા માટે બાળવા ? મારા સાત અજ્ઞાન (૧) હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું, તે હું જાણતો નથી. (૨) હું અહંમાં પુરાયેલ છું, તે હું જાણતો નથી. (૩) મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખ-દાયી છે, તે હું જાણતો નથી. (૪) દૃશ્યમાન જગત જ મને સાચું લાગે છે. (૫) અદશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી. (૬) હું શરીર છું – એ જ ખ્યાલમાં હું રાચતો રહું છું. (૭) જગતના જીવોની સાથે મારો સંબંધ હું જુદો માનું છું. ૧૯૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy