SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડકૌશિકને પોતાના ગુસ્સાની ક્યાં ચિંતા હતી ? ભગવાન મહાવીર દેવને હતી. * પ્રભુ પર પ્રેમ છે કે નહિ ? એની નિશાની કઈ ? બીજા, બીજા [ શરીર, શિષ્ય, ઉપધિ, મકાન વગેરે ] પદાર્થો પર પ્રેમ વધુ કે પ્રભુ પર પ્રેમ વધુ ? એમ મનને પૂછી લેજો. - પ્રભુ પર જેવો પ્રેમ હોય તેવો પ્રેમ બીજા કોઈ પદાર્થમાં ન હોય, તે જ પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. પ્રીતિ અનુષ્ઠાન મજબૂત થયા પછી જ ભક્તિ, વચન અને અસંગયોગ પ્રગટી શકે. વચનનું આરાધન આપણામાં [ હું પણ સાથે ] નથી દેખાતું તેનું કારણ પ્રભુ-પ્રેમની આપણામાં ખામી છે. પ્રભુ-પ્રેમ માટે પ્રયત્ન કરવાનો ઉપાય આ છે : બીજી બીજી વસ્તુઓ પરથી પ્રેમ ઘટાડતા જવું ! * આત્મા કોણ ? આપણી અંદર રહેલા જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા વગેરે ગુણો એ જ આત્મા છે. આત્મા, ગુણો દ્વારા જણાય. વિશ્વાસ રાખો (૧) ભગવાનની ભક્તિ પર. (૨) આત્માની શક્તિ પર. (૩) શુદ્ધ આચારની અભિવ્યક્તિ પર. સ્ટે વો પાંવ.... ટૂટે વો પાંવ જિસકો ન તેરી તલાશ હો, ફૂટે વો આંખ જિસકો ન હો જુસ્તજૂ તેરી; વો ઘર હો બેચિરાગ જહાં તેરી જૂ ન હો, વો દિલ હો દાગ જિસમેં ન હો આરજૂ તેરી. – મુનશી દુર્ગાસહાય કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy