________________
બન્યું. તે સ્વપ્રલક્ષણપાઠકે હાથા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકે એટલે ટીલાંટપકાં અને મંગલક-પ્રાયશ્ચિત્તો કર્યો. તે
પછી તેમણે ચાકમાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો પહે, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારેમોઘાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધેાળા સરસવ તથા ધરોને થકન માટે મૂકીને તે સ્વસલક્ષણપાઠકે પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે.
૬૭ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી ત્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે.
૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્રલક્ષણપાઠકેને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે.
( ૬૯ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં કુલફન લઈને વિશેષ વિનય સાથે તે સ્વપલક્ષણપાઠકેને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું
: હે દેવાનુપ્રિયો! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઉંઘતી ઉંધતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મોટાં ચિદ મહાસ્વોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથીવગેરેનાં સ્વમો હતાં. તે હે દેવાનુપ્રિયે ! એ ઉદાર ચોક મહાસવોનું હું માનું છું કે કઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઈએ.
૭૦ ત્યારપછી તે સ્વલક્ષણપાઠકે સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ બન્યું. તેઓએ એ સ્વોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા-એક બીજાને મત પૂછવા જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વમોને અર્થ પામી ગયા, તે સ્વમોને અર્થ તેઓ એક બીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વમો વિશે