________________
સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાઠો હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈ પણ પ્રતિમાંથી મળી શક્યા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે; પણ તેટલા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠે પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. કહપકિરણાવલિકા મહોપાધ્યાય શ્રીધમસાગરજી અનેકાનેક પાઠભેદની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠની નેંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાઠો તેમણે કઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક, વાત ખાસ નોંધપાત્ર છે કે-ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નેંધ કિરણાલીકારે હેક-કાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદની નોંધ અમે ચૂર્ણિ અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદટિપણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. . પ્રતિઓમાં શબ્દપ્રયાગની વિભિન્નતા-(૧) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટાભાગની પ્રાચીન પ્રતિઓમાં,
જ્યાં શબ્દચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ જ શ્રુતિવાળા જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. જેમકે-fથાવ, તિથો , માથ, અrશાક, ફળાઉન ઈત્યાદિ. જ્યારે કેઈકે પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિએામાં જ ઐતિ વિનાના જ! પાઠ વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની એ નિર્ણય કરે મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તે ચક્કસ જ છે કે આકાશi, Airt૩, ગજ વગેરે શબ્દો જે રીતે લખાય છે તે રીતે બેલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દો આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં ‘’ શ્રતિ કરાતી હોય. એ જ શ્રતિને જ વૈયાકરણેએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હે, પણે આપણી જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રસંગે સ્પષ્ટ ઉચ્ચારણમાટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ' શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાનાં વધારે સંભવ છે..
(૨). પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “ શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કપસૂત્રની કેટલીક પ્રતિઓમાં જ કરાયેલે પણ જોવામાં આવે છે, જેમકે ૧૪ ઘા વગેરે. આવા પ્રયોગે પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રીધર્માષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયેગે જ વ્યાપકરીતે આપેલો છે, જેને લીધે કયારેક કયારેક અર્થ મેળવવામાં ગુંચ