SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. પૂ. જંબુવિજયજી સાથે પંચાસરમાં રહેવાનું થયું. બપોરના ૨/૩ ટપાલ લખી. પછી પેક કવરને વંદન કરતા જોઈ પૂછ્યું? તો કહે આપણે ટપાલમાં લખ્યું હોય છે કોટીશઃ વંદના અને આપણે એકેય વંદન ન કરીએ એ કેમ ચાલે? એમના જેવો સમર્પણ ભાવ લાવવો કઠિન છે. ઠલ્લે જતા પિતાજીની તસ્વીરને વંદન કરીને જાય ગુરુની હયાતીમાં જ કર્યું તે પછી પણ જીવંત રાખ્યું. એમની પાસે જર્મન જવાનીઓ પ્રતિક્રમણ કરવા બેસે. એક વાર ગામવાળા જહોનને લઇ આવ્યા. ઝાડ નીચે પ્રતિક્રમણ કરી ફરવા ગયા. તળાવમાં આખા ચંદ્રને જોઇ નાચી ઉયો. જે ભાઇ ચંદ્રને જોઇ નાચી શકે એ બીજું શું જોઇ ન નાચે? પ્રારંભની ભૂમિકા કરો વધુ અપેક્ષા રાખવી નથી. વગર સ્થળે અને વગર સમયે પણ ધર્મ ચાલુ કરો. પાપ ખરાબ છે માટે છોડવું જ છે. મરણ વખતની સમાધિમાં આચાર કામ ન લાગે પણ જ્ઞાન કામ લાગશે. મોતની વેદનામાં પ્રતિક્રમણ-પડિલેહણ કે પૂજા એટલા કામ નહિ આવે પણ તમારી સમજણ કામ લાગશે. સમજ વધારો. સમાધિ કેળવો. વ્યવહાર સોંદર્ય ભમરાની નજર ફૂલ પર હોય તેમ કેટલાક જીવોની દૃષ્ટિ સગુણો તરફ જ હોય. માખીની નજર ફૂલ અને વિષ્ટા બન્ને પર હોય. બીજા પ્રકારના જીવો આવા હોય પાપોય કરતા રહે અને થોડો ધર્મ પણ કરતા રહે. ત્રીજા પ્રકારમાં ડુક્કરને માત્ર વિષ્ટા અને ગટર પ્રિય હોય આવા જીવોને આખા ગામની પંચાત અને નિંદા જ પ્રિય હોય છે. આપણને પાંચ ચીજો પાંચમા આરામાં ખરાબ મળી છે. ૧. કર્મ ખરાબ બંધાયો છે. ૨. સંસ્કાર ખરાબ પાયા છે. ૩. સોબત/સંગત ખરાબની વળગી છે. ૪. અવસર્પિણી કાળ પણ ખરાબ છે. swaminaras its were are it will b e lia/ ૦૧ ESI TIMLI કાકાશમાં Yes કાલાવાડ રાજકાંડVs st S કાજ સકામાં શાં શાક
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy