SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ' ભગવાન સર્વજ્ઞ કે સમર્થ? જયાં સુધી પાપની ક્રિયાઓ ચાલુ છે ત્યાં સુધી ધર્મ ચાલુ રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ભાવ વિનાની ધર્મ ક્રિયાઓ કદાચ નિષ્ફળ જતી હશે પણ ભાવ વિનાની પાપ ક્રિયાઓ નુકસાનકારક બની રહે છે એ સતત ખ્યાલમાં રાખજો. પરમાત્માને આપણે સર્વજ્ઞ તો માન્યા છે પણ સમર્થ નથી માન્યા અને એ હિસાબે જ આપણને એમના પ્રત્યે જોઈએ તેવો બહુમાનભાવ જાગ્યો નથી. ભાવ અને ભય એ તો ધર્મ સેવનની અને પાપ ત્યાગની આધારશિલા છે. નિર્મળ બુદ્ધિ પરમાત્માની નજીક લઈ જાય છે મલિને બુદ્ધિ પરમાત્માથી દૂર લઈ જાય છે. જેનામાં એક પણ દોષ નથી એ તો નિદોષ છે જ, પણ જે દોષનો બચાવ નથી કરતો એય નિદોષતાના માર્ગે જ છે. ઉપદેશના હજારો વાક્યો ભૂલી શકાશે પણ અનુભવની એક પળ ભૂલી નહી શકાય. ધર્મારાધનાનો સાચો સ્વાદ અધિકમાં અને પુનરાવર્તનમાં લઈ ગયા વિના રહેતો નથી. તપ અને શ્રુત આદિથી અભિમાનવાળો ક્રિયાવાન હોય, તો પણ લેપાય છે. ભાવનાજ્ઞાન વડે સંપૂર્ણ ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી. પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ અનેક ક્રિયાઓ કરવા છતાં, તપ-જપ અને જ્ઞાન-ધ્યાન વગેરે કરવા છતાં જો એના પર અભિમાન આવ્યું તો પાપકર્મથી લેપાયા સમજો! પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરી કરીને જીવ આત્માના વિશુદ્ધ અધ્યવસાયોને પ્રજાળી મૂકે છે. તપ, ત્યાગ, જ્ઞાન.. વગેરે કે જે મદને હરનારાં સાધનો છે, એના જ દ્વારા કેવી રીતે મદ કરી શકાય? મદ કરવામાં કોઈ લાભ નથી, બલ્ક બે ભયંકર નુકશાન થશે (૧) GEET) નામકાજનામાનાબ હાઈ , , Iકા પ્રાણાયાણાવાણા કાણાના શકાશiY taari talima Y BIBLE IN IN TREE Ex
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy