________________
१५. विवेकाष्टकम् कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् ।
विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ।।१।। (૨) સર્વદ્રા-હમેશાં ક્ષીનીવ-દૂધ-પાણીની જેમ સંપિત્તશૃં-મળેલા કર્મ-કર્મ -અને નવ-જીવને :-જે મુનિહ:-મુનિરૂપ રાજહંસ વિમિત્રી-ભિન્ન સતે-કરે છે ગણી-એ વિવેવી-વિવેકી છે.
(૧) સદા દૂધ-પાણીની જેમ પરસ્પર મળેલા જીવ અને જ્ઞાનાવરણીયાદિ કર્મને લક્ષણાદિના ભેદથી ભિન્ન કરનાર=સમજનાર રાજહંસ જેવા સાધુ વિવેકી છે. અજીવથી જીવના ભેદનું જ્ઞાન તે વિવેક.
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे ।
भवकोट्यापि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ।।२।। (૨) બવે-સંસારમાં સર્વતા-હમેશાં ટે-આત્મા-દ્વિ-વિવે:-શરીર અને આત્મા વગેરેનો અવિવેક નમ:-સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે તુ-પરંતુ ત-ભેદ્રવિવેકા:-તેનું ભેદજ્ઞાન મોહ્યાં-કોટિ જન્મથી અપ-પણ અતિદુર્તમ:-અત્યંત દુર્લભ
(૨) સંસારમાં શરીર-જીવાદિના અભેદજ્ઞાન રૂપ અવિવેક સદા સુલભ છે. તેનું ભેદજ્ઞાન કોટિજન્મોથી પણ અતિશય દુર્લભ છે.
સંસારમાં સઘળા ય ભવસ્થ જીવો શરીર-જીવના અભેદની વાસનાથી વાસિત જ છે, ભેદજ્ઞાની કોઇક જ હોય છે, એવો ભાવ આ શ્લોકનો છે.'
शुद्धेऽपि व्योम्नि तिमिराद, रेखाभिर्मिश्रता यथा ।
विकारैर्मिश्रता भाति, तथात्मन्यविवेकतः ।।३।। (૩) યથા–જેમ શુદ્ધ-સ્વચ્છ –પણ વ્યોનિ-આકાશમાં તિમિટુ-તિમિર રોગથી મા-નીલપીતાદિ રેખાઓથી મિત્રતા-મિશ્રપણું મતિ-ભાસે છે, તથા તેમ (શુદ્ધ પણ) આત્મનિ-આત્મામાં અવિવેod:-અવિવેકથી વિવો:-વિકારોથી મિત્રતામિશ્રપણું (ભાસે છે).
(૩) પ્રશ્ન-શરીર અને જીવ તદ્દન જુદા છે એ વાત સમજાઈ ગઈ. હવે જીવનું સ્વરૂપ કેવું છે તે કહો. જીવમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિચિત્ર ભાવો દેખાય છે એથી અમને જીવ ક્રોધાદિ સ્વભાવવાળો દેખાય છે. અમારી આ દૃષ્ટિ બરોબર છે?
ઉત્તર-ના. આત્મા ક્રોધાદિ વિકારોથી રહિત શુદ્ધ છે. પ્રશ્ન-આત્મા શુદ્ધ છે તો તેમાં અમને ક્રોધાદિ વિકારો કેમ દેખાય છે? ઉત્તર-અવિવેકથી=અજ્ઞાનતાથી. વિવેકીને તો આત્મા ક્રોધાદિ વિકારોથી રહિત