SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી “સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવી રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. આ સેન્ટરના ઉદ્દેશ આ પ્રણાણે છે : • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યાપન, સંશોધન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. ૦ જૈનસાહિત્યના અધયયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ) આપવી. વિદ્વાનો અને સંતોના પ્રવચનોનું આયોજન કરવું, જ્ઞાનસત્રનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. ૦ અભ્યાસ નિબંધ વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old jain Manuscrip)નું વાંચન ૦ જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D. M. Phill કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંત સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્ય-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યક વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફીકલ એન્ડ આપના સહયોગની અપેક્ષા સાથે લિટરરી રીસર્ચ સેન્ટર, અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર ટ્રસ્ટી અને માનદ્ સંયોજક એચ. નં. ૨૩૧, શાસ્ત્રીનગર, બુદ્ધ મંદિર સામે, ગુણવંત બરવાળિયા પંત નગર ઘાટકોપર મુંબઈ ૪૦૦૦૭૫ ફોન નં. : ૨૫૧૨૫૬૫૮
SR No.032447
Book TitleAnagarna Ajwala
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia, Pravina R Gandhi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2008
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy