SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપ્રાયોગ્ય-ર૯ના બંધે સત્તાસ્થાન દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક મનુષ્યને જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તાવાળા ૮૯૯૩ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તા અવશ્ય હોય છે. તેથી જિનનામની સત્તા વિનાના ૯૨/૮૮ નું સત્તાસ્થાન ન હોય. ૮૬/ ૮૦/૭૮...અધુવસત્તાત્રિક મિથ્યાદષ્ટિને જ હોય છે. સમ્યગ્દષ્ટિને ન હોય. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્યબંધ ન હોવાથી દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક મનુષ્યને ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫/૮/ ૯ સત્તાસ્થાનો હોતા નથી. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે સત્તાસ્થાન - દેવપ્રાયોગ્ય-૩૦ના બંધક અપ્રમત્ત સંયમીને આહારકદ્વિકનો બંધ હોવાથી આહારકચતુષ્કની સત્તાવાળું ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ ચાલુ જ હોય છે એ નિયમાનુસારે ૯૩ની સત્તાવાળાને દેવપ્રા૦૨૯ કે દેવપ્રા) ૩૧નો બંધ હોય પણ દેવપ્રાયોગ્ય૩૦નો બંધ હોતો નથી. એટલે દેવપ્રા૦૩૦ના બંધ ૯૩નું સત્તાસ્થાન ન હોય. દેવપ્રા૦૩૦ના બંધે આહારકચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી આહારકચતુષ્કની સત્તા વિનાના ૮૯/૮૮નું સત્તાસ્થાન ન હોય. અને ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્ય-૩૦નો બંધ ન હોવાથી ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫/૮/૯ સત્તાસ્થાન ન હોય. ૮૬/૮૦ ૭૮. અધુવસત્તાત્રિક મિથ્યાદષ્ટિને જ હોય છે. અપ્રમત્ત સંયમીને ન હોય. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધ સત્તાસ્થાનદેવપ્રાયોગ્ય-૩૧ના બંધ ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૩૧નો બંધક અપ્રમત્તસંયમી જિનનામ અને આહારદ્ધિકને બાંધતો હોવાથી જિનનામ અને આહારકચતુષ્કની સત્તા ૩૭૧
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy