SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યવસાયો ન હોવાથી ૭ થી ૧૪ ગુણઠાણા સુધી શાતાદિ-૩ની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે નપુંસકવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ્ત્રીવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. પુરુષવેદોદયે શ્રેણી માંડનારને પુત્રવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે પુત્રવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. દરેક આયુષ્યની છેલ્લી એક ઉદયાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. કારણ કે ઉદયાવલિકાની ઉપર કર્મદલિક ન હોવાથી ઉદીરણા ન થાય. અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી નામકર્મની ઉદયવતી૯ પ્રકૃતિ અને ઉચ્ચગોત્રની ઉદીરણા થતી નથી. એટલે ૧૪મા ગુણઠાણે ૧૦ પ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ગુણઠાણામાં પ્રકૃતિબંધतित्थयराहारगविरहियाउ, अजेइ सव्वपयडीओ । मिच्छत्तवेयगो सासणो वि, गुणवीस सेसाओ ॥१९॥ ગાથાર્થ - મિથ્યાત્વમોહનીયના ઉદયવાળો જીવ તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક વિના સર્વે પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણાવાળો જીવ ૧૯ પ્રકૃતિને છોડીને ૧૦૧ પ્રકૃતિને બાંધે છે. વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે તીર્થંકર નામકર્મ અને આહારકટ્રિક ૫૭૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy