SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જે આત્મા તીર્થંકર થવાના છે તેને છેલ્લા-૩ ભવમાં નિકાચિત જિનનામની સત્તા હોવાથી ૯૩/૮૯નું સત્તાસ્થાન હોય છે. તેને છેલ્લા ત્રણ ભવમાંથી વચ્ચેનો ભવ દેવ કે નારકીનો હોય છે અને છેલ્લા ભવમાં ક્ષપકશ્રેણી માંડે છે. તેથી છેલ્લા બે ભવમાં ઉપશમશ્રેણી માંડી શકતા નથી પરંતુ ત્રિચરમભવમાં જિનનામની નિકાચના કર્યા પછી ઉપશમશ્રેણી માંડી શકે છે. એટલે ઉપશમશ્રેણીમાં ૧ના બંધક તીર્થંકર થનારને ૨૩ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે પ્રથમ સંઘયણવાળા-૨૩ ભાંગામાં ૯૩/૮૯/૯૨/૮૮/૭૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીમાં ૧ના બંધકને ૩૦ના ઉદયે પ્રથમ સંઘયણવાળા ૨૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સર્વે શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં નવમા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થંકરને ૯૩/૮૯ની સત્તા હોય છે અને સામાન્યકેવલી થનારાને ૯૨/૮૮ની સત્તા હોય છે. ૯મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી તીર્થંકરને ૮૦/૭૬ની સત્તા હોય છે અને સામાન્યકેવલી થનારને ૭૯/૭૫ની સત્તા હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧ના બંધકને ૧ ઉદયભાંગામાં ૮ (૯૩/૯૨/૮૯|૨૮/૮૦/૭૯/૭૬/૭૫) સત્તાસ્થાન હોય છે. : અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ : (૩૪ ૪ ૪ ૪ ૬ પ્રા ૧ન ઉદયસ્થાન ઉદય ભાંગા |બંધે કુલ→જી સત્તાસ્થાન ૪ (૯૩/૯૨/૮૯(૮૮) ૬ (૯૩/૯૨/૮૯|૮૮/૭૯/૭૫) ઉપશમશ્રેણીમાં ૩૦ના ૪૮× શ્રેણીમાં ૩૦ના ૨૩૪ ક્ષપકશ્રેણીમાં ૩૦ના ૧૪ ૮ (૯૩/૯૨૨૮૯|૮૮/૮૦/૭૯/૦૬/૭૫)|×૧ ૭૨ અપ્રાયોગ્ય-૧ના બંધે-૩૩૮ સંવેધભાંગા થાય છે. ૩૯૩ |||||© સંવેધ ભાંગા =૧૯૨ =૧૩૮ =2 ૩૩૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy