________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
આ સ્થિતિબંધ
મૂલપ્રકૃતિનો ઉત્કૃષ્ટ અને જઘન્યસ્થિતિબંધ :वीसऽयरकोडिकोडी नामे गोए य सत्तरी मोहे । तीसियर चउसु उदही निरयसुराउम्मि तित्तीसा ॥ २६॥ मुत्तुं अकसायठिई बार मुहुत्ता जहन्न वेयणिए । अट्ठ नामगोएसु सेसएसु मुहुत्तंतो ॥२७॥ विंशतिरतरकोटीकोट्यः नामे गोत्रे च सप्ततिर्मोहे । त्रिंशदितरचतुर्यु उदधयः नरकसुरायुषोस्त्रयस्त्रिंशत् ॥ २६ ॥ मुक्त्वा अकषायस्थितिं द्वादशमुहूर्ता जघन्या वेदनीये । अष्टाष्टौ नामगोत्रयोः शेषेषु मुहूर्तान्तः ॥ २७ ॥
ગાથાર્થ - નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે. જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે અને દેવાયુ-નરકાયુની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ બંધાય છે.
અકષાયીવેદનીયની સ્થિતિને છોડીને સકષાયી વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત બંધાય છે. નામ અને ગોત્રકર્મનો જઘન્યસ્થિતિબંધ આઠ-આઠ મુહૂર્ત થાય છે અને જ્ઞાનાવરણીયાદિ- કર્મનો જઘન્યસ્થિતિબંધ અંતર્મુહૂર્ત થાય છે.
વિવેચન :- સ્થિતિબંધનું કારણ કષાયોદય છે. જ્યારે તીવ્રતમ