SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતારીને ઉદયવતીકર્મપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમનિષેકથી માંડીને ૮મા-૯મા-૧૦મા ગુણઠાણાના કાળથી કાંઇક અર્ધિકે કાળ સુધીના અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે, તે “ચારિત્રમોહોપશમગુણશ્રેણી” કહેવાય. ચિત્રનં૦૩૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... કર્મપ્રકૃતિની અંતઃ કોકોસાળ = ૮૦ સમય. ૮થી૧૦ગુણઠાણાના કાળથી કાંઇક અધિકકાળ[દલરચનાનું અંતર્મુ૦]=૨૪ સમય. ઉદયાવલિકા= ૨ સમય માનવામાં આવે, તો... ઉપશમકમહાત્મા અપૂર્વકરણના પ્રથમસમયે આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની અંતઃકોકોસા૦=૮૦ સમયની સ્થિતિના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્યદલિકો ઉતારીને ઉદયવતીપ્રકૃતિમાં ઉદયપ્રાપ્તનિષેકથી અને અનુદયવતીપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી= ૩જા નિષેકથી ૮થી૧૦ ગુણઠાણાના કાળથી કાંઇક અધિકકાળ=૨૪ સમય=૨૪ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ જ પ્રમાણે, બીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૨થી૨૪ નિષેક સુધી અને અનુદયવતીપ્રકૃતિમાં ૪થી૨૪ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. ત્રીજાસમયે ઉતારેલા દલિકોને ઉદયવતીપ્રકૃતિમાં ૩થી૨૪ નિષેક સુધી અને અનુદયવતીપ્રકૃતિમાં પથીર૪ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવે છે. એ રીતે, ચારિત્રમોહોપશમગુણશ્રેણી ચાલુ રહે ત્યાં સુધી સમ્યક્ત્વગુણશ્રેણીની જેમ સમજવું.. ૯મા ગુણઠાણામાં છેલ્લા એક સંખ્યાતમાભાગમાં જુદા જુદા કાળે મોહનીયકર્મની પ્રકૃતિની ચારિત્રમોહોપશમગુણશ્રેણી બંધ પડે છે અને ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાનાવરણીયાદિ-૬કર્મની ચારિત્રમોહોપશમગુણશ્રેણી બંધ પડે છે. (૬૧) ર્મપ્રકૃતિ તમુપામનારગમ્ પેજનં૦૧૧૯ ૩૦૪
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy