SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ કે તેનાથી સંક્રોધને વિશેષાધિક કમંદલિકો મળે છે. કારણ કે મોહનીયની ૪ પ્રકૃતિ બાંધતી વખતે મોહનીયના કર્મદલિકનો ચોથોભાગ મળે છે. કે તેનાથી સંવમાનને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે મોહનીયની ૩ પ્રકૃતિ બાંધતી વખતે મોહનીયના કર્મલિકનો ત્રીજો ભાગ મળે છે. કે તેનાથી પુત્રવેદને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે મોહનીયની પાંચપ્રકૃતિ બાંધતી વખતે મોહનીયના દલિકના બેભાન થઈને ૧ભાગ કષાયમોહનીયને મળે છે અને ૧ભાગ નોકષાયમોહનીયને મળે છે. તેથી પુત્રવેદને મોહનીયનો લગભગ અર્ધો ભાગ મળે છે. કે તેનાથી સંમાયાને વિશેષાધિક દલિકો મળે છે. કારણ કે મોહનીયન-૨ પ્રકૃતિ બાંધતી વખતે સંવમાયાને મોહનીયનો અર્થોભાગ મળે છે જો કે પુત્રવેદને પણ મોહનીયનો લગભગ અભાગ મળે છે. તો પણ તથાસ્વભાવે જ નોકષાય કરતાં કષાયમોહનીયને વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી સંOલોભને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણકે મોહનીયનું સંપૂર્ણ દલિક સંતુલોભને મળે છે. (૫) આયુષ્યકર્મ :ચારે આયુષ્યને પરસ્પર સરખો ભાગ મળે છે. (૬) નામકર્મ - ગતિ-આનુપૂર્વી - દેવદ્ધિક-નરદ્ધિકને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. કારણ કે દેવપ્રાયોગ્ય-૨૮ અને નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે દેવદ્ધિક અને નરકદ્ધિક બંધાય છે. તે વખતે નામકર્મના દલિકોના-૨૮ ભાગ થવાથી તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. કે તેનાથી મનુષ્યદ્ધિકને વિશેષાધિક કર્મલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત મનુOપ્રાયોગ્ય-ર૫ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યદ્ધિક બંધાય છે. તે વખતે નામકર્મના દલિકોના-૨૫ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ દલિતો મળે છે. ४२८४१
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy