SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિસ્થાનોમાં અશાતાની સાથે શાતા પરાવર્તમાનપણે” બંધાય છે. સમયાધિક ૧૫કો૦કોસાથી ૩૦કોકોસાળ સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૦ થી૧ સ્થિતિસ્થાનોમાં અશાતા જ બંધાય છે. તેથી ત્યાં અશાતાનો “અપરાવર્તમાનબંધ' છે. ૭માગુણઠાણાથી ૧૦માગુણઠાણા સુધીના સ્થિતિસ્થાનોમાં=૪૪ થી ૬૦ સ્થિતિસ્થાનોમાં શાતા જ બંધાય છે. તેથી ત્યાં શાતાનો “અપરાવર્તમાનબંધ'' છે. એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી ત્રીજાવિભાગમાં ૧૦મા ગુણઠાણાથી ૭માગુણઠાણા સુધીના સ્થિતિસ્થાનોમાં=૬૦ થી ૪૪ સ્થિતિસ્થાનોમાં અશાતા બંધાતી જ નથી અને શાતા બંધાય છે. પણ તેનો જવરસબંધ થતો નથી કારણકે ૬૦મા સ્થિતિસ્થાનમાં અતિવિશુદ્ધ અધ્યવસાયસ્થાને રહેલા ક્ષપકમહાત્મા શાતાનો ઉ૦૨સબંધ કરે છે અને બાકીના રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા મહાત્મા અપરાવર્તમાનમધ્યમપરિણામમાં વિશુદ્ધિ ઘણી હોવાથી શાતાનો જરસબંધ કરી શકતા નથી. બીજાવિભાગમાં ૪૩ થી ૪૦ સ્થિતિસ્થાનોમાં રહેલા પ્રમત્તસંયમી ૪ (૪૮) અશાતાના જ સ્થિતિસ્થાનમાં જે જ૦૨સબંધના અધ્યવસાયો હોય છે. તે બધા જ [નિ] સમયાધિકજસ્થિતિસ્થાનમાં હોય છે અને થોડા નવા [અન્યાનિ] પણ હોય છે. એ રીતે, ૧૫ કોકોસા સુધીના દ૨ેક સ્થિતિસ્થાનમાં અશાતાના જ૦સ્થિતિસ્થાનમાં રહેલા બધા જ જ૦રસબંધના અધ્યવસાયો હોય છે અને દરેક સ્થિતિસ્થાનમાં થોડા નવા- નવા પણ રસબંધના અધ્યવસાયો હોય છે. એ જ રીતે, શાતાના ઉસ્થિતિસ્થાનમાં જે જરસબંધના અધ્યવસાયો હોય છે. તે બધા જ [તાનિ] સમયન્યૂન ઉસ્થિતિસ્થાનમાં [બીજાસ્થિતિસ્થાનમાં] હોય છે અને થોડા નવા [અન્યાનિ] પણ હોય છે. એ રીતે, છઠ્ઠાગુણઠાણાના છેલ્લાસમય સુધીના દરેક સ્થિતિસ્થાનમાં શાતાના ઉસ્થિતિસ્થાનમાં રહેલા બધા જ જ૦૨સબંધના અધ્યવસાયો હોય છે અને થોડા નવા-નવા પણ હોય છે. એને તાનિ અન્યનિ અનુકૃષ્ટિ કહે છે. એટલે બીજાવિભાગમાં દરેક સ્થિતિસ્થાને જસબંધને યોગ્ય અધ્યવસાયો હોય છે. તેથી બીજા વિભાગમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી જીવો શાતાઅશાતાદિ શુભાશુભપરાવર્તમાન પ્રકૃતિનો જ૦૨સબંધ કરી શકે છે. ૨૩૩
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy