SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિય-સ્થાવરના અંતઃકોકોસા જ૦સ્થિતિસ્થાનની ઉપરના ૨૨થી૫૦ [૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધીના] સ્થિતિસ્થાનમાં એકેન્દ્રિયસ્થાવરનામકર્મ બંધાતું જ નથી. ત્રસ-પંચેન્દ્રિય જ બંધાય છે. તેથી ત્યાં ત્રસ-પંચેન્દ્રિયનો “અપરાવર્તમાનબંધ” છે. એ રીતે કુલ-૩ વિભાગ થયા. તેમાંથી ત્રીજાવિભાગમાં એકેસ્થાવર બંધાતું જ નથી. તેથી ત્યાં તે પ્રકૃતિનો જરસબંધ થતો નથી. બીજાવિભાગમાં ૨૧થી૩ સુધીના સ્થિતિસ્થાનમાંથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા ઇશાનસુધીના દેવો અને તિર્યંચ-મનુષ્યો એકેન્દ્રિય-સ્થાવરનો બંધ અટકાવીને પંચેન્દ્રિય-ત્રસનો બંધ શરૂ કરવા જતી વખતે એકે૦-સ્થાવરના જ૦૨સબંધને યોગ્ય અધ્યવસાયથી એકેન્દ્રિય-સ્થાવરનો જ૦૨સબંધ કરે છે. પ્રથમ વિભાગમાં એકેન્દ્રિય-સ્થાવર બંધાય છે પણ તેનો જવરસબંધ થતો નથી. કારણકે ૧લા ઉ સ્થિતિસ્થાનમાં ઉસંક્લેશસ્થાને રહેલો ઇશાનસુધીનો દેવ અતિસંક્લેશથી એકેન્દ્રિય અને સ્થાવરનો ઉ∞રસબંધ કરે છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમ પરિણામમાં સંક્લિષ્ટતા વધુ હોવાથી એકેન્દ્રિય-સ્થાવરનો જÖરસબંધ કરી શકતો નથી. એટલે બીજાવિભાગમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી તિર્યંચ-મનુષ્યો અને ઇશાન સુધીના દેવો જ એકેન્દ્રિય-સ્થાવરના જ૦૨સબંધના સ્વામી છે. જિનનામના જ૦રસબંધના સ્વામી ઃ જેને પૂર્વે નરકાયુ બાંધેલુ છે એવો અવિરતક્ષયોપશમસમ્યગ્દષ્ટિ મનુષ્ય જિનનામને નિકાચિત કરીને નરકમાં જતી વખતે પોતાના ચાલુભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વની સન્મુખ થયેલો ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી સમ્યક્ત્વગુણઠાણાના છેલ્લાસમયે=૩૨મા સ્થિતિસ્થાને રહેલો અવિરતસમ્યક્ત્વી મનુષ્ય તદ્યોગ્યસંક્લેશથી જિનનામનો ઉ૰સ્થિતિબંધ કરતી વખતે જ૦૨સબંધ કરે છે. તિર્યંચો ભવનિમિત્તે જ જિનનામને બાંધતા નથી અને દેવ ૨૩૧
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy