SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પ્રશ્ન ૨૦—યથાપ્રવૃત્તિકરણ એટલે શું? સમાધાન–શાસ્ત્રોક્તરીતિએ સંવર કે નિર્જરાના પરિણામ વગરની બધી દ્રવ્યપ્રવૃત્તિઓ તે યથાપ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે; દષ્ટાંત તરીકે–અભવ્ય જીવ પણ દેવલોક, પૂજા, રાજાપણું વગેરેની લાલચેજ નવકારમંત્રને પહેલે અક્ષર નકાર બેલે અને પૂરે કરે તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ થઈ ગયું છે. અને તેથી જ જગતના છની મેક્ષ, સુખ, આત્મકલ્યાણદિની અપેક્ષા વગરની બધી સર્વશભાષિત ક્રિયાઓ યથાપ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે. પ્રશ્ન ૨૧–પાપાનુબંધી પાપ કરતાં સાધુઓના લેબાસમાં કહેવાતા સાધુઓ વધુ પાપી હોઈ શકે ખરા ? સમાધાન–જીદગીભર કસાઈ ને બંધ કરનારા પિતાના પેટ ખાતર જીવવધ કરે છે, પરંતુ ખોટું માને છે. અને જીવને બચાવનારાઓને સારા માને છે, જીવવધ કરે છે, પણ જે સાધુઓ દયાના હાને દયાના પ્રસંગોને રોકે, બલકે, દયાના બહાને ઘેર હિંસા અને કતલ ચલાવે. દૃષ્ટાંત તરીકે-મરતા ઉંદરને મરવા દેવામાં ધર્મ, બળી મરતી ગાયને બળવા દેવામાં ધર્મ માને અને તે ઉંદર કે ગાયને બચાવવામાં પાપ માને તેવાઓને પાપાનુબંધી પાપવાળા કરતાં અધમ માનવામાં આવે તે નવાઈ શી? પ્રશ્ન ૨૨-પૂજા કરનાર શ્રાવકને દ્રવ્યહિંસા લાગે ? અને તે જ પ્રમાણે નદી ઉતરતાં સાધુને વ્યહિંસા લાગે ? જો ન લાગતી હોય તે ઈરિયાવહી કેમ કરે છે? સમાધાન-પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળ સાધન પાસે હેવાથી પૂજા પ્રસંગે દ્રવ્યહિંસા થાય, પણ પાપને બંધ પડે નહિ ? કદાચ બંધ પડે તે તે ટકે નહિ પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હેવાથી નદી આદિ ઉતરતાં હિંસા નથી. કારણ કે તેઓ ભાવસ્તવના અધિકારી
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy