SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) પ્રશ્ન ૨૮૭–બોદ્ધદર્શનમાં ગોશાળાની વાત આવે છે, તેવી દિગંબરમાં સામાન્યત પણ નથી તેનું કારણ શું? સમાધાન–દિગંબરોએ ઉપકરણને આધકરણ માનવાના આગ્રહમાં જઈ બધા આગમને વિચ્છેદ માની લીધું અને માત્ર અન્યાન્ય આચાર્યું કરેલા ગ્રંથો માની લીધા અને તેથી જે ગે શાળાની હકીકત જૈન શાસનની માફકજ ગોશાળાની અધમસ્થિતિને દેખાડનાર બૌદ્ધોમાં પણ સામાન્ઝફલસુજ્ઞ આદિમાં હોવાથી સત્ય હોવા છતાં દિગંબરો અસલના સૂત્રોને ન માનનારા હોવાથી ન માને તેમાં આશ્ચર્ય શું? પ્રશ્ન ૨૮૮–સમવસરણ પ્રભુ માટે દેવ બનાવે છે તે એવી વિરાધનામાં બેસીને અનુમતિ કેમ આપે છે ? સમાધાન–પ્રથમ સકષાયવાળાને અનુમતિ દેષ લાગે અને પાપ બંધાય તેમ શ્રી કેવલીને ક્ષીણકષાય હેવાથી દોષ કે પાપ લાગે કેમ? ખરી રીતે તે લેકેને ધર્મના પ્રતિબંધ આદિને માટે ધર્મભૂમિરૂપ સમવસરણમાં દેવ દ્વારા થતી હિંસામાં ભગવાન કેઈપણ પ્રકારે દેષપાત્ર નથી, અને તેથી સુશ્રાવિક રેવતીએ કરેલ આધાકમી એવા પાકને લેવાની ના કહી શુદ્ધ પાક મંગાવનાર ભગવાને પણ સમવસરણને નિષેધ ન કરતાં અનુસેવન કર્યું. આ ઉપરથી હિંસાના નામે શ્રી જિનપૂજાને છોડાવનારાઓએ વિચારીને સન્માર્ગ આદરવા જેવું છે. પ્રશ્ન ૨૮૯–જાનું પ્રમાણ કુલે ચારે બાજુ હોય તે પર થઈને ભગવાન તથા સાધુ શું સમવસરણમાં બેસતા હશે? સમાધાન–જેમ સંયમના રક્ષણ માટે વિહારમાં કે ગુરૂવંદનાદિ માટે જવામાં નદી આદિ ઉતરવાનું થાય છે તેમ સમવસરણમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રની અત્યંત વૃદ્ધિ હોવાથી અને આજનુપુષ્પ સિવાયની કઈ જગ્યા આખી સમવસરણ ભૂમિમાં ન હોવાથી ભગવાન જિનેશ્વરની દેશના સાંભળવા સાધુઓ બેસે તેમાં આશ્ચર્ય શું ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy