SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ @AGH@ZG@ ઢાળવાની ઘરેડમાં તત્ત્વષ્ટિ-વિવેકબુદ્ધિના મિશ્રણથી ઉત્તમ ધક્રિયાઓના સુંદર જીવન જીવવા રૂપે ઘાટ ઘડવા લાગ્યા. એ રીતે પેાતાના જીવનને લેાકહેરીએ માત્ર ક્રિયા કરી સ ંતેષ માણવાના ચાલુ ચીલામાંથી ખહાર કાઢી જીવનને જ્ઞાનીઓની આજ્ઞાનુસાર સકારાના નિરોધ સાથે કમ –નિરાના ધ્યેયના ઉચ્ચ આદર્શ તરફ વાળવા ભાગ્યશાળી બની શકયા. તેમાં પૂજ્યશ્રીના ભારોભાર ઉપકાર માની રહ્યા ! આ પ્રસંગ પછી પૂજ્યશ્રી પાછા રાજનગર-અમદાવાદ પધાર્યાં. મગનભાઈ ભગત પૂજ્યશ્રીના સહવાસ અને વ્યાખ્યાનથી મેળવેલી તત્ત્વષ્ટિને અવારનવાર અમદાવાદ જઈ કલાકા સુધી ધ ચર્ચા-જ્ઞાનગોષ્ઠીરૂપે વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા મેળવી વિકસાવી રહ્યા ! પૂજ્યશ્રી પણ કપડવ'જ-શ્રી સોંઘ તરફ અજ્ઞાત રૂપે પણ અંતરથી આકર્ષિત બની રહ્યા, જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આસપાસના પ્રદેશમાં કૈક ધમ કાય પ્રસંગે વિદુરવા ટાણે મેળ ખાય તો કપડવંજની સ્પર્શના અચૂક કરતા ! આમ કુદરતી અવિરત ગતિએ ચાલતા કાળચક્રના કેટલાક દાંતા પૂજ્યશ્રીના કપડવંજ તરફના વધુ પક્ષપાત અને મગનભાઈના અ ંતરના આકર્ષણ રૂપે ગતિશીલ બની રહ્યા. ૧૩
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy