________________
અજોડ વાદી વિજેતાશ્રી ઝવેરસાગરજી મ.
શાસન–નાયકશ્રી મહાવીર–પરમાત્માના શાસનમાં અવિચ્છિન્ન-પ્રણાલિકારૂપે શુદ્ધ-સામાચારીને જીવંત રાખનાર શ્રી તપાગચ્છની મહત્વની વિજય, સાગર, વિમલ અને ચંદ્ર શાખામાં શાસઘાત અને આગેમિક-પરંપરાઓને વધુ સજીવ રાખનાર વિશિષ્ટ–મહાપુરૂષોથી સાગર–શાખા છેલ્લા ૪૦૦ વર્ષમાં ખૂબ સમૃદ્ધ રીતે ફાલફૂલી અનેક મનીષીઓના હૈયાને આકર્ષનારી બની છે.
તે સાગર-શાખામાં બારમી પાટે શાસન-પ્રભાવક અજોડક્રિયાપાત્ર તરીકે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ઓગણીસમી સદીના પાર્ધ ભાગે તેજસ્વી–તારકસમા જિનશાસન-ગગનમાં ચમકી રહેલા, કે જેમની અદ્વિતીય સંયમપ્રભા-જ્ઞાનપ્રભા અને ચારિત્રપ્રભાથી અમદાવાદના ધનસમૃદ્ધ નગરશેઠના વંશજો પણ જિનશાસનની અદ્વિતીય–મહિમાના “ભાવુક ભક્ત બની સ્વ-પર કલ્યાણકારી જીવન જીવી શક્યા હતા.
તે શ્રી મયાસાગર મ. શ્રીને બે શિષ્ય હતા. (૧) ઉત્કૃષ્ટ-ક્રિયાપાત્ર શુદ્ધ-સંવેગી પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. (૨) અજોડ વિદ્વાન પ્રવર વ્યાખ્યાતા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રમણ સંસ્થાના કાળ