SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જૈન શ્રીસંઘના આગવાને સમજી વાતને ઠંડી પાડી ઉભા થઈ ગયા. આ રીતે જૈન સંઘ પર આવેલ બંને આક્રમણને પૂજ્યશ્રીએ કુનેહ-વિદ્વત્તાના સુમેળથી બેસતા-ચોમાસે ખાળી દીધાં; બંને વિપક્ષીઓ હતપ્રભ થઈ જિનશાસન સામે આંગળી ચીંધવાથી પણ દૂર રહ્યા. આ ચોમાસામાં સકળ શ્રીસંઘમાં પૂર્ણ શાંતિ રહી. વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા ચાતુર્માસ ખૂબ જ ઉમંગધર્મોલ્લાસના વાતાવરણમાં પસાર થયું. આ ચાતુર્માસના ઉત્તરાર્ધ માં ચાલુ પજુસણે પૂજ્યશ્રી પાસે અમદાવાદથી ગચ્છાધિપતિ દ્વારા અને ભાવનગરથી પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. દ્વારા તેમજ પાલીતાણથી મળેલ સમાચાર પ્રમાણે પાલીતાણ સ્ટેટની કનડગત-મુંડકાવેરાની વાત વગેરે સમાચાર મળ્યાથી આસો મહિનાની ઓળીના છેલા દિવસે પાંચ-પાંડના મુક્તિ મનના પ્રસંગને વિકસાવી સકળ શ્રીસંઘને કમર કસી રાજ્યના ઉપદ્રવને હઠાવવા જેહાદ ઉઠાવવા ગંભીર પ્રેરણા કરી. વધુમાં શ્રીસંઘને આખી વિગત સમજાવી કે સૌરાષ્ટ્રના તિલકસમે તરણતારણહારશ્રી શત્રંજય ગિરિરાજ આપણું ૧૯૭
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy