SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઇત્યાદિક વચન સાંભળીને ઘેર આવી જેમ તેમ રાત્રી નિર્ગમન કરી પ્રભાતકાળે પિતાનું જે કંઇ હતું તે લઈને પિતાની સ્ત્રી અને પુત્ર સાથે તે માળવે જવાને રવાને થયો કેમકે સેંકડે નગર પ્રત્યે જવું, સેંકડો ગમે વિજ્ઞાન કળાઓ શીખવી, અને સેંકડેગમે રાજાઓને સેવવા પણ પિતાનું ભાગ્ય બીજે ઠેકાણેજ રહેલું છે. કેટલે દિવસે ચાલતા થકા તે ઘણી સંપડાવાળી એવી માંડવગઢ નામક નગરી તેને દરવાજે આવ્યું. માંડવગઢની વર્તમાન જાહેરજલાલી દેખીને પિતે વિચાર કરતો હતો. આ શું આતે સ્વર્ગનું બચ્ચું હશે કે સ્વર્ગની જમીનનો એક ટુકડો હશે, અથવા તે કુબેરની અલકાવતી તે ન હોય, અથવા રાવણરાયની લંકાતો અહી નથી આવી! આહ ! નગરના દરવાજા અને કીલ્લાની કાંગરીઓ સૂર્યના ચળકાટથી કેવી ચળકે છે ! ઈત્યાદિક વિચાર કરતે પેથડકુમાર નગરના દરવાજામાં પેસતે હો, ત્યાં તેને વામ દિશાએ સર્ષની ઉણા ઉપર રહેલી અને મુખની લીલાએ કરીને સુંદર એવી વારંવાર પર કરતી શ્યામ દેવચકલી દીઠી. વામ દિશાએ રહેલી એકલી કાળી દેવી બોલતી થકી પણ ઘણા કલ્યાણને માટે થાય છે તે પછી કાળા સની ફી ઉપર રહી થકી શબ્દ કરે તે ઘણા કલ્યાણ કરનારી થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. આવી રીતના શકુનને દેખતાં પેથડકુમાર મનમાં નવકારનું સ્મરણ કરતા થકા ઊમેલા છે, તેટલા માં એક પુરૂષને તેણે જોયે, તે પુરૂષે આવા ઉત્કૃષ્ઠ શકુન દેખીને અને પડને અંદર દાખલ થવાની આતુરતાવાળે પણ નજીક ઉભેલા દેખીતે તે બેલતે હો. ભાઈ ! “તમે કોણ છો ? અને કેમ ઉભા રહ્યા છે? હે મહાપુરૂષો “મારે આ નગરમાં પ્રવેશ કરે છે. પણ શકુન અનુકુળ થતા નથી. તેથી હું વિલંબ કરંથિકુમારે જણાવ્યું. પેથડકુમારનું વચન સાંભળીને તે પુરુષ નીતિને લોક વિચારવા લાગ્યો કે – ननिमित्त द्विषां क्षेमो नवायु दँदक द्विषां न श्री तिद्विषां धर्म द्विषामेत त्रयं तुन ભાવાર્થ–નિમિતીયા દેવ કરનારને કલ્યાણ ન હોય. વૈદ્ય
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy