SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ3 નારી રેખાઓ દેખીને અને ભાવી કાળમાં આ કુમાર ઘણું દ્રવ્યને સ્વામી થશે, એમ જાણીને પૂછતા હવા. . ભાઈ! “કેટલું પરિમાણ કરવું છે, તમારી ઈચ્છા હોય તેટલું બેલી જાઓ!” હે સ્વામી “વીસ હજાર ટાંકનું પરિમાણ કરાવે.” બીતાં બીતાં આચાર્ય મહારાજને પથકુમારે કહ્યું. પેથડા “મસ્તક ધુણવતા છતાં નહિ! નહિ. તે થકી ઘણુંજ વધારે કર?” તેમણે જણાવ્યું. સ્વામી! “પાસે એક કેડી તે છે નહિ, અને વીસ હજારનું પરિમાણ છે તે કાંઈ કમી નથી. આખી જીંદગી સુધીમાં પણ એટલા તે ભેગા થવાના નથી, તો પછી વધારેને હું શું કરું. ઉલટું તેથી એ શું લેવાને મારે તે વિચાર છે પેથડે જણાવ્યું. | અરે! “એમ બેલ નહિ ! તું પાંચ લાખનું પરિમાણ કર. ' આચાર્ય કહેતા હતા. તેમનું વચન સાંભળીને સર્વ વ્યવહારીયાએ હાસ્ય કરવા લાગ્યા, અરે “આચાર્ય મહારાજ કાંઈ લેવા તો નથી થયા ને ? અથવા તે આ ભીખારડાનું ભાગ્ય કર્યું કે શું ? સવ લેક બેલવા લાગ્યા. સ્વામી ! “આ બિચારે પાંચ લાખ કયાંથી કમાવાને છે. પાંચ રૂપિયા તે પાસે છે નહિ? અપ પણ ઠીક તેને બનાવો છે !” અન્યના હાસ્યને નહિ સહન કરતે પેથડ હૃદયમાં ઘણે દુઃખી થયા, પણ લાચારી તે વિચારવા લાગ્યો “અત્યારે હું દૈવને આધિન છું માટે હું શું કરી અને દૈવ કોઈને છેતું નથી, હા ! શું ભરતચક્ર બાહુબળ થી પરાભવ નથી પામ્યા ! પાંડવ સરખા શરીરે કે જેમણે કૌરવની સેનાનો નાશ કર્યો તેમાંના અર્જુન શુરવીર બાણાવળી શું એક બીલથી પરાભવ નથી પામ્યા? સાતવાર હઠાવનાર એવા પૃથ્વીરાજ ચૈહાણને શાહબુદીનગોરીથી નાશ ન થયો? સેળવાર હાર ખાના૨ એવા તૈલપ ભૂપતિને હાથે માળવાના પ્રખ્યાત મુંજને હાયભેદક નાશ ન થયો? માટે દૈવ સર્વને દગો દેતું આવ્યું છે. તે પછી આપણે બૈર્યતા ધારણ કરવી તેજ આપણી ફરજ છે.” ઇત્યાજિક વિચારમાં ગુંથાત અને ઘટડામાં ઘુંટાતે અનાં બે બિંદુને ખેરવતે તે કહેવા લાગ્યો.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy