SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગુનાની માફી સર્વિસકીત એક સાચો ઈશ્વર ભક્ત હતો. એના જીવનમાં પદે પદે જાગૃતિ પ્રગટ થતી હતી. રોજ ખુદાની બંદગી કરે અને બંદગી કર્યા પછી હંમેશાં એક વાક્ય કહે : “હે ખુદા ! તું મને માફ કર.” સર્વિસકીતની બંદગી પછી આ વાક્ય અનેક લોકોએ રોજ સાંભળ્યું હતું, પણ કોઈને એનો તાગ કે તાળો મળતો ન હતો. કેટલાકને એમ થતું કે આવો ખુદાપરસ્ત માનવી ક્યાં ગુનો કરે છે ! શા માટે એ રોજ જેટલી વાર ખુદાની બંદગી કરે. એટલી વાર એની માફી માગતો હશે ? એક દિવસ એમના એક સાથીથી રહેવાયું નહિ. એને થયું કે શા માટે સર્ટિસકીત રોજેરોજ માફી માંગતા હશે ! એવો તે એ કયો ગુનો કરે છે કે એમને આ રીતે સતત ક્ષમાયાચના કરવી પડે. સાથીએ મહાત્મા સર્વિસકીતને પૂછ્યું, “આપને વાંધો હોય તો હું મારા મનમાં જાગેલી એક શંકા વિષે પૂછ્યું.' - સર્વિસકીને એને પ્રેમથી કહ્યું, “જે કંઈ પૂછવું હોય તે નિ:સંકોચ પૂછો.' સાથીએ પૂછ્યું, “મારા મનમાં સવાલ એ જાગે છે કે આપ છેલ્લાં ત્રીસ વર્ષથી ખુદાની બંદગી કર્યા બાદ એમ બોલો છો કે “હે ખુદા ! મને માફ કર.' આવું રોજેરોજ કરવાની શી જરૂર ? ખુદાનો એવો તે કયો ગંભીર ગુનો કર્યો છે કે જેથી તમારે આમ દરરોજ સતત માફી માંગવી પડે ?”
SR No.032284
Book TitleMahek Manavtani
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1997
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy