________________
કતઃ શ્રી પૂજ્ય મોહનવિજયજી મહારાજ રે પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;
ધ્યાનની તાળી રે લાગી નેહશું; જલદઘટા જિમ શિવસુત વાહન દાયજો. પ્રી.૧ નેહધેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જો; મારે તો, આધાર રે સાહિબ રાવળો, અંતરગતની પ્રભુ આગળ કહ્યું ગુઝ જો પ્રી.ર સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરૂદ તમારૂં તરણતારણ જહાજ જો પ્રી.૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીન દયાળ જો; તુજ કરૂણાની લહેરે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો પ્રી.૪ કરૂણાદ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે; ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનવાંછિત ફળીયા રે જિન આલંબને, કર જોડીને, મોહન કહે મનરંગ જો બી.પા
૧૫