________________
૧૫. શ્રી ધર્મનાથ ભગવાન સ્તવના કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ | ધર્મ-જિનેશ્વર ગાઊં રંગશું, ભંગ મ પડયો હો પ્રીત-જિણેસર ! બીજો મન-મંદિર આણું નહીં, એ અમ કુળવટ-રીત-જિણેસર ! ધર્મ ||૧|| ધરમ-ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ – જિણેસર ! | ધર્મજિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ-જિણેસર ! ધર્મ ||૨|| પ્રવચન-અંજનજો સદ્ગુરૂ કરે, દેખે પરમ-નિધાન – જિસેસર ! હૃદયનયણ' નિહાળે જગધણી', મહિમા મેરૂ-સમા-જિણેસર ! ધર્મ ||૩|| દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનની રે દોડ-જિણેસર ! પ્રેમ-પ્રતીત’ વિચારો ટૂંકડી, ગુરૂગમ લેજયો રે જોડ-જિણેસર ! ધર્મo ||૪|| એકપખી° કિમ પ્રીત પરવડે', ઉભય મિલ્યાં હોવે સંઘ૧° - જિણેસર ! હું રાગી હું મોહે કુંદીયો, તું નિરાગી નિરબંધ-જિણેસર ! ધર્મ |||| પરમ-નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઓલંઘી હો જાય-જિણેસર ! જયોતિ વિના જુઓ જગદીશની, અંધો-અંધ પુલાય-જિણેસર ! ધર્મe ||5 || નિરમળ-ગુણ-મણિ-રોહણ-ભૂધરા, મુનિ-જન-માનસ-હંસ-જિસેસર ! ધન્ય તે નગરી ! ધન્ય વેળા-ઘડી, માત-પિતા કુળ-વંશ-જિણેસર ! ધર્મ ||૭|| મન-મધુકર વર કર જોડી કહે, પદ-કજ નિફ્ટ નિવાસ-જિસેસર ! ધન-નામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ-જિસેસર ! ધર્મ ||૮|| ૧. પંડિત થવું ૨. જ્ઞાનરૂપી અંજન ૩. આત્મતત્ત્વરૂપ શ્રેષ્ઠ નિધાન ૪. અંતરના ચક્ષુથી પ. પરમાત્માનો. મેરૂસમાન મહિમા ૬. પ્રેમની ખાત્રી ૭. એકતરફી ૮. નભે ૯.બંને (=સેવ્ય-સેવક) ૧૦. પ્રેમ ૧૧. નિર્મળ ગુણરૂપ મણિ માટે રોહણાચલ પર્વત જેવા ૧૨, ચરણકમળ
૧૬૭
- - -
-
- -
-
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
ઋ
—
—
—
—
—
—