________________
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ - 6 ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણ-સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધારપ રહે ન દેવા...૧ એક કહે “સેવીએ વિવિધ કિરિયા કરી', ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે...૨ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકી, મોહ નડિયા કલિકાલ રાજે...૩
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો' કહ્યો, ‘વચન સાપેક્ષ' વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી-આદરી કાંઈ રાચો...૪ દેવગુરૂ ધર્મ શુદ્ધિ કહો કિમ કહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્વાન આણો ? શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી, છારપર લીંપણું તેહ જાણો...૫ પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો...૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે...૭
૧. જાદુઈ ખેલ કરનાર ૨, સેવારૂપી ધાર પર ૩. સ્યાદ્વાદ દષ્ટિથી ૪. સાધ્ય લક્ષ્યની જાગૃતિ વિનાની ૫. રઝળતા રહે ૬, સ્વચ્છેદ-મતિ કલ્પિત ૭. શાસ્ત્રાજ્ઞાશુદ્ધ ૮. અવશ્ય-જરૂર
૧૬૧