________________
૧૪૬
નેમજી કહે સાંભળે હરિ, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે.
| | ૧૭ | ત્યારે વિચાર્યું દેવ મેરારિ, તેને પરણાવું સુંદર નારી; ત્યારે બળ એનું ઓછું જે થાય, તે તે આપણે અહીં રહેવાય.
છે ૧૮ એ વિચાર મનમાં આણી, તેડયાં લક્ષ્મીજી આદે પટરાણી; જલક્રીડા કરવા તમે સહુ જા, તેમને તમે વિવાહ મનાવે.
૧ ૧૯ . ચાલી પટરાણી સર્વે સાજે, ચાલે દેવરીયા નાવાને કાજે, જલક્રીડા કરતાં બોલ્યાં રૂક્ષમણી, દેવરીયા પરણે છબીલી રાણી.
છે ૨૦
વાંઢા નવી રહીયે દેવર નગીના, લાવો દેરાણી રંગના ભીના; નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું.
૨૧ પરણ્યા વિના તે કેમ ચાલે, કરો લટકો ઘરમાં કોણ માલે; ચુલે ફેંકશો પાણીને ગળશે, વહેલાં મેડાં તે ભોજન કરશે.
છે ૨૨ છે બારણે જાશો અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળ દીવાબત્તી કોણજ કરશે, લીપ્યા વિના તે ઉકેરા વળશે.
- ૨૩ છે