________________
જ્ઞાનપંચમીની કથા.
પરિવાર સાથે લઈને રાજા, તેમજ પુત્રીની સાથે સિંહદાસ ગુરૂને વંદના કરવા આવ્યા. નગર લેકે પણ વંદન કરવા આવ્યા. સૈ યોગ્ય સ્થાનકે બેઠા. તે વખતે ગુરૂ મહારાજે ધર્મદેશના આપવા માંડી.
હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા એ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવું જોઈએ. જે જીવે તે જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાન્તરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચનથી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રંગને પામે છે. તેમજ જયણ વિના કાયાથી જેઓ વિરાધના કરે છે તેમના શરીરમાં દુષ્ટ કઢ વગેરે રોગો ઉત્પન્ન થાય છે. માટે પિતાનું ભલું ઈચ્છનારે જ્ઞાનની વિરાધના કરવી નહિ.”
ગુરૂ મહારાજની ઉપર પ્રમાણેની દેશના સાંભળી સિંહદાસ શેઠે પૂછયું કે “હે પ્રભે ! આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રેગી તથા મૂંગી થઈ છે?” જવાબમાં ગુરૂએ ગુણમંજરીને પૂર્વભવ નીચે પ્રમાણે કો:
ધાતકીખંડના પૂર્વાર્ધમાં ભરતક્ષેત્રમાં ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતું હતું. તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચ પુત્રોને ગુરૂ પાસે ભણવા માટે નિશાળે મૂક્યા. તેઓ કાંઈ ભણતા નહિ, પરસ્પર રમત કરતા અને ગુરૂ ઠપકે આપે અથવા શિક્ષા કરે ત્યારે મા પાસે આવીને ગુરૂ તેમને મારે છે એવી ફરિયાદ કસ્તા. આથી