________________
૩૫૩
૨૭ પાર્શ્વ સ્તુતિ. ગયા ગંગાતીરે, અવધિ બલથી નાગ જલતો; દીઠે દીધી દીક્ષા, તપસી જન તે ક્રોધ કરતો નિયાણું બાંધીને, મરી કમઠ થઈ કષ્ટ કરતો; કરૂણા વારિધે! પ્રભુ ! નમું નમું વાર શસે.
-૧૮ રૂખ્યાત્મની સ્તુતિ, સેવન વાડી ફૂલડે છાઈ, છાબ ભરી હું લાવુંજી; ફૂલ જ લાવું ને હાર ગુંથાવું, પ્રભુજીને કંઠે સોહાવું છું; ઉપવાસ કરું તો ભૂખ લાગે, ઉનું પાણી નવી ભાવેજી; આંબીલ કરું તે લખું ન ભાવે, નીવીએ ડુમા આવે છે. ૧
એકાસણું કરૂં તો ભૂખે રહી ન શકે, સુખે ખાઉં ત્રણ ટંકણ, સામાયિક કરૂં તો બેસી ન શકું, નિંદા કરૂં સારી રાતજી; દેરે જાઉં તો બેટીજ થાઉં, ઘરનો ધંધે ચૂકેજી; દાન દઉં તો હાથજ ધ્રુજે, હૈયે કં૫ વછુટે છે.૨
જીવને જમડાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલેજી; રહે રહો જમડાજી આજનો દહાડે, શેત્રુંજે જઈને આવું છે; શેત્રજ જઈને દ્રવ્ય જ ખર્ચ, મોક્ષ માર્ગ હું માગુંજી; ઘેલા જીવડા ઘેલું શું બોલે, એટલા દિવસ શું કીધું છે. ૩
જાતે જે જીવે પાછળ ભાતું, શું શું સાથે આવે છે; કાચી કુલેર ખાખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાન વિમળ સૂરિ એણી પેરે ભાખે, ધ્યાને અધ્યાત્મ ધ્યાન ભાવ ભક્તિશું જિનજીને પૂજે, સમકિતને-અજવાળો છે. ૪
૨૩