________________
૧૦૧
વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી ભારત આવ્યા ઉ૯લાસે; મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશે, હરિ ચદી ચરમ જિન થાશે; નવિ વંદુ ત્રિદંડીક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મનહર્ષ નમાવે; મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રો બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું નાચે કુળ મદથું ભરાણે, નીચ ગોત્ર તિહાં બંધાણે. ૮ એક દિન તનુ રાગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વછે ચેલ એક તવ મળિયે કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયે પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દર્શને ધર્મને વહેમ, સુણી ચિતે મરીચી એમ; મુજ યેાગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડવો વેલો. ૧૧ મરિચી કહે ધર્મ ઉણયમાં, લીયે દીક્ષા જવાન વયમાં, એણે વચને વસંસાર, એ બીજે કહો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય દસ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખ માંહી. ૧૩