________________
- -
,
,
, ,
-
*
*
*
*
* *
*
રીને સિધર્મ દેવ લોકમાં દેવ થયા. એકજ વ્રત કરો છતાં માત્ર સ્વર્ગની પ્રાપ્ત થાય છે, તે સિવાય બીજી પદવી મળે નહી. ને વસુભૂતિ કેટલાએક કાળ સુધી દેવલોકમાં રહીને ત્યાંથી ચવી વિતાવ્ય પર્વત ઉપર રથનપુરમાં ચંપ્રગતિ નામને રાજા થશે. તેમજ તેની સી અનુકશા પણ દેવલોકથી આવી ને તેજ રાજાની પુષ્પવતી નામની સ્ત્રી થઈ.
અતિભુતિની સ્ત્રી સરસા પણ કોઈ એક સાધવી પાસેથી દિક્ષા લઈને કાલ કરી ઇશાન દેવલોકમાં દેવી થઈ. તેમજ અતિભુતિ પણ રહીને શોધતો થકો કેટલાક દિવસે કાલ કરી ગયા પછી સંસાર માં ઘણા કાળ ભટકીને કેઇ એક સમયે તે એક હંસનો બાળક છે. તેને એક સેન નામના પક્ષી એ લઈને ખાવા માંડ્યું. પણ પ્રારબ્ધના યોગે તેની પાસેથી છુટીને તથા જેમ તેમ ઉડતો ઉડતો એક સાધુ પાસે આવી પડે. માત્ર કંઠમાં થોડું એક સ્વાસછવાસ રહેલું હતું, તેવા પ્રસંગે તે હંસના બાળકને નમસ્કાર (ન વિકાર) મંત્ર કહ્યું, તેના સામર્થ વડે તે જીવ દશ હજાર વર્ષના આયુષનો કિનર લોકમાં એક દેવ થયો. કાલે કરી ત્યાંથી આવીને વિદગ્ધ નામના નગરના રાજા પ્રકાશ સિંહની સ્ત્રી પ્રવરાવાણીના પેટે કુંડલમંડિત નામનો પુત્ર થશે.
ઉપભોગમાં આશકત જે ક્યાન, તે પણ કાળે કરી મરણ પામીને ભવાટવીમાં ભટકતો થકો ચપુર નામના નગરના રાજા ચક્રધ્વજના ઉપાધ્યાય ધુમકેતુની સી બ્રાહાને પેટે પિંગ નામનો પુત્ર થયો. કેટલાક દિવસ પછી ચધ્વજ રાતની કન્યા અતિ સુંદરી તથા તે પિંગ એકજ ગુરૂની પાસે વિવાભ્યાસ કરવા લાગ્યા. કેટલાએક કાળ પછી તે બેઉ જણ વચ્ચે પરસ્પર પ્રીતિ બંધાઈ. તેથી તે અતિસુંદરીને પિગ હરણ કરીને દિગ્ધ નગરમાં જઈ રહ્યા. ત્યાં તે પિંગ ગાશ તથા લાકડાને વેચીને જેમ તેમ પિતાનો નિ. વહ કરવા લાગ્યા. કેમકે ગુણ રહિત પુરૂષને એવું કામ કરયા વના છોટકોજ નહી. કોઈ એક પ્રસંગે તે નગરના રાજા કંડલમંડિતે તે અતિસુંદરી ને દીઠી તેવીજ તે બેઉ વચે પ્રીતી બધાઈ. પછી તે કુડલમંડિતે તેને હરણ કરીને પિતાના બાપના ભયથી ત્યાંથી નીકળીને એક પર્વતમાં ઘર કરી ને રહેવા લાગ્યો. * ઇ અતિસુંદરીના વિરહથી ઉન્મતની પઠે થએલો તે પિંગ જમીન ઉપર ફરતો ફરતે કોઈએક સમયે કોઈએક ગુપ્તાક્ષ નામના આચાર્યને તેણે