________________
તે પુરૂષ કલ્પ વૃક્ષની છાયા તળે શાંતિને પામે તેમ જિનચરણની સરણ મવાથી તે શાંત થશે. પણ પિતાના વેરીને યાદ કરી ગુસ્સામાં આવીને કહે વા લાગ્યો કે, તેને હું પાતાળમાંથી ખેંચી લાવીશ, અગર સ્વર્ગમાં જશે તે ત્યાંથી પણ હેઠળ પાડીશ; પિતાથી નહી બને તો કોઈ મોટા પુરૂષને આ શ્રય લઈને પણ સહસનયનને મારા વિના રહીશ નહીં. એમ બેલે છે એ ટલામાં હાથમાં હથિયાર લઈને સહસનયન પણ ત્યાં આવ્યો. તેણે ઘનવાહ નને સભામાં બેઠેલે દીઠો. પણ શ્રી ભગવાનના સામર્થ્ય વડે તેનું મન પી. ગળીને આંખમાં આંસુ આવ્યાં, તથા કોપની શાંતિ થઈ ગઈ, ને શ્રી તીરથંકર ભગવાનને પ્રદક્ષિણ તથા નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાન ઉપર બે ઠો. એવા પ્રસંગે સગર રાજા શ્રી ભગવંતને પુછવા લાગ્યો કે, પુર્ણમેઘ અને સુલોચન વચ્ચે વૈર થયાનું કારણ શું છે તે કૃપા કરીને દરશાવો તેવારે ભગવત કહે છે –
હે રાજા પુર્વે આદિત્યાભ નામના નગરમાં એક ભાવન નામને સાહુકાર હતો. તે પોતાના હરિદાસ નામના પુત્રને સર્વ દોલત સોંપીને વ્યાપાર સારૂ દેશાંતરે ગયો. ત્યાં જઈ ઘણું નાણું મેળવીને કેટલાએક કાળ પછી પિ તાના નગરમાં રાતના સમયે આવી પહોતો તેથી પિતાની સાથે જે દ્રવ્ય લાવ્યો હતો તે એક ઠેકાણે રાખીને સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતીના આવેશથી તથા ત્યોને જલદી મળવાની આશાથી કુવખતે તથા કુવાટે પિતાના ઘરમાં પે ઠો. તેને ન ઓળખીને આ કોઈ ચોર હશે એવી બુદ્ધિથી તેના પુત્ર હરિદાસે હાથમાં તરવાર લઈને કાંઈ પણ વિચાર ન કરતાં તેને માર્યો. કહ્યું છે કે “મંદ બુદ્ધિને વિચાર હેત નથી.” તેવખતે ભાવને જાણ્યું કે મારે પુત્ર શ. તરૂ થયો. તેને દેષ છતાં તે મરણ પામ્યો. પછી તેની હરિદાસે ચેકશી કરી મુખ જોતાં પોતાનો બાપ જાણ્યાથી તેને ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા, પણ કરે શું ? ભાવા કેઈથી મટતી નથી, હજાર ઉપાય કરે તો પણ અન્યથાન થતાં જેમ થવાનું હોય તેમ થાય. એમ મનને શાંત કરીને તેણે પ્રેત કાર્ય વગેરે કરયાં, એ ઘોર કર્મનું શુલ તેના મનમાં રહી ગયું. કેટલાએક દહાડા પછી હરિદાસ પણ કાળ કરી ગયો. તે બન્નેના જીવ દુઃખરૂપ યોનિયોમાં જ
ન્મ ધરતા થકા કોઈક પુન્યના વેગે ભાવનનો જીવ પુર્ણમેઘ થયો અને હરિદાસનો જીવ સુલોચન થયો. એવી રીતે એ બેઉની વચ્ચે પ્રાણાતિક વિર થવાનું કારણ પુર્વ જન્મનું ઘર કૃત્ય છે, તે આ ભાવમાં સબંધરૂપ થયું.
ફરી સગર ચક્રવર્તી હાથ જોડી પુછવા લાગે છે કે, હે જગદુદ્ધારક દેવાધિદેવ,